જામનગરઃ જામનગરમાં નવાગામમાં રહેતા આશિષ માડમે પોતાના ઘરને આ પક્ષીઓને સોંપી દીધું છે. પક્ષીઓની તેઓ અહીં ટ્રીટમેન્ટ કરવાથી લઈને તેઓ સાજા ન થાય ત્યાં સુધી સેવા કરે છે. આશિષે મિત્રો સાથે મળીને સાંઇરામ ટ્રસ્ટ બનાવ્યું અને પક્ષી ટ્રીટમેન્ટ હાઉસ તૈયાર કર્યું. ઘરની અંદર (Jamnagar Bird Lover Youth) એક સુંદર ગાર્ડન બનાવ્યું અને શરુ કરી પક્ષીઓની સારવાર. અત્યાર સુધીમાં 250 જેટલાં પક્ષીઓમાંથી 150 જેટલાં પક્ષીઓને યોગ્ય સારવાર આપી સાજા પણ કર્યા છે.
ઉત્તરાયણમાં વધી જાય છે ઇજાગ્રસ્ત પક્ષીઓ
ઉત્તરાયણના (Makarsankranti 2022) તહેવાર પર અનેક પક્ષીઓ પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત થતાં હોય છે. આ બોલ પક્ષીઓને સમયસર સારવાર ન મળવાને કારણે મોતને પણ ભેટે છે. ત્યારે આશિષ માડમે (Jamnagar Bird Lover Youth) પોતાના ઘરે જ પક્ષીઓ માટે સુંદર ઘર બનાવ્યું છે જેમાં અનેક પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન