ETV Bharat / city

Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?

author img

By

Published : Jan 12, 2022, 6:33 PM IST

Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?
Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?

ભાવનગર શહેરનું ગંગાજળિયા તળાવ હજારો પક્ષીઓનું રહેણાંક પણ છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અહીં સેંકડો પંખી ઇજાગ્રસ્ત (Bhavnagar Birds in Danger) થાય છે. ત્યારે આ વિસ્તારમાં આ દિવસે (Makarsankranti 2022) પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવાની (To Ban Kite Flying) માગ થઇ છે.

ભાવનગર: શહેરનો ગંગાજળિયા તળાવ વિસ્તાર (Bhavnagar Gangajaliya Lake) પ્રતિબંધિત ઝોન જાહેર કરવાને બદલે કોઈ નિર્ણયો આજદિવસ સુધી થયો નથી. આ વિસ્તારમાં આશરે બેથી ત્રણ હજાર પેન્ટર્ડ સ્ટોક અને અન્ય કેટલાક પક્ષીઓ વસવાટ કરે છે. આ દરેક પક્ષીઓના જીવ ઉત્તરાયણ (Makarsankranti 2022) આવતા જોખમમાં (Bhavnagar Birds in Danger) મુકાઈ જાય છે. સત્તામાં બેઠેલા નેતાઓ કે વિપક્ષ કોઈએ ક્યારેય મૂંગા પક્ષીઓ મામલે પહેલ કરી નથી. તો જીવદયા પ્રેમીઓ સેવાઓ ઇજાગ્રસ્ત પક્ષીઓમાં લાગ્યા રહે છે. ત્યારે શું હવે કડક નિર્ણયની જરૂર છે ?

ગંગાજળિયા તળાવની આસપાસ હજારો પેન્ટર્ડ સ્ટોક અને અન્ય કેટલાક પક્ષીઓ વસવાટ કરે છે

કોઇ જ ધ્યાન અપાતું નથી

ભાવનગર શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ અને તેની આસપાસનો વિસ્તારમાં (Bhavnagar Gangajaliya Lake) શિયાળામાં ઉત્તરાયણ (Makarsankranti 2022) સમયે પેન્ટર્ડ સ્ટોક સહિતના પક્ષીઓની હજારોની સંખ્યામાં (Bhavnagar Birds in Danger) કોલોની વસે છે. ભાજપના શાસનમાં ના પક્ષીઓ માટે કોઈ વ્યવસ્થા કરાઈ કે ના સરકાર કે તંત્રએ કોઈ કડક પગલાં ભર્યા. પણ જીવદયાપ્રેમીઓએ ઇજાગ્રસ્ત પંખીડાઓની સારવાર કરી જીવ બચાવવાનું કામ કર્યું છે. ત્યારે હવે જાહેરનામું પતંગ ઉડાડવા પર પ્રતિબંધ (To Ban Kite Flying) જાહેર થાય તેવી માગ થઈ છે. જો કે ભાજપ કોંગ્રેસ શું કહે છે ? જાણો.

ગંગાજળિયા તળાવની આસપાસ પક્ષીઓના જીવને જોખમમાં કેમ ?

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની (Bhavnagar Gangajaliya Lake) આસપાસ મહિલાબાગ, મોતીબાગ,પિલગાર્ડન જેવા વિસ્તારમાં મોટા વૃક્ષો પર પેન્ટર્ડ સ્ટોક (ઢોંક બગલા)ની મોટી વસાહત ઉત્તરાયણ (Makarsankranti 2022) સમયે માળાઓ બનાવીને વૃક્ષો પર વસે છે. જીવરક્ષક દળ સંસ્થાના બ્રિજેશ શાહે જણાવ્યું હતું કે ઉત્તરાયણ સમયે આ વિસ્તારમાં ઉડતા પતંગથી દર ઉત્તરાયણમાં 100થી વધુ પક્ષી ઘવાય (Bhavnagar Birds in Danger) છે અને 70થી વધુ મૃત્યુ પામતા હોવાના બનાવ બને છે. અમે કલેકટરને લેખિતમાં માગ કરીશું કે આ વિસ્તારમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે. લોકોને અપીલ છે કે સવારમાં 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 પછી પતંગ ન ઉડાડે, કારણ કે તે સમયે પક્ષીઓ આકાશમાં વધુ પ્રમાણમાં વિહરતા હોય છે.

જીવદયાપ્રેમીઓએ ઇજાગ્રસ્ત પંખીડાઓની સારવાર કરી જીવ બચાવવાનું કામ કર્યું છે
જીવદયાપ્રેમીઓએ ઇજાગ્રસ્ત પંખીડાઓની સારવાર કરી જીવ બચાવવાનું કામ કર્યું છે

આ પણ વાંચોઃ Gangajalia Lake Bhavnagar: ભાવનગરની શાન સમાન ઢોક બગલાની સંખ્યા થઈ ઓછી :જાણો તારણો

મહાનગરપાલિકાની જવાબદારી શું છે?

ભાવનગર શહેરમાં ઉત્તરાયણમાં પક્ષીઓના જીવના પગલે ઉત્તરાયણમાં (Makarsankranti 2022) મહાનગરપાલિકાની ટીમ કામ કરતી હોય છે. મેયર કીર્તિબેન દાણીધરીયાએ (Bhavnagar Mayor Kirti Danidharia ) જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની ટીમ તેમજ પશુ દવાખાનાના ડોક્ટરો તેમજ વન વિભાગની ટીમ સાથે મળીને ઘવાયેલા પક્ષીઓ માટે ઉત્તરાયણના દિવસે કામ કરે છે અને ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર (Bhavnagar Birds in Danger) આપે છે. પિલગાર્ડનમાં પણ એક ટીમ કાર્યરત હોય છે. જાહેરનામું મહાનગરપાલિકા બહાર પાડી શકે નહીં, પરંતુ કલેકટર સાથે વાતચીત કરીને જો જાહેરનામું શક્ય હશે તો વાર્તાલાપ કરી નિર્ણય (To Ban Kite Flying) કરીશું.

પક્ષીઓ માટે વિપક્ષનો જવાબ

ભાવનગર શહેરમાં 25 વર્ષથી ભાજપની સત્તા રહી છે. પછી તે મહાનગરપાલિકા હોય કે ધારાસભ્ય. ત્યારે ઉત્તરાયણમાં દર વર્ષે પક્ષીઓ મોતને (Bhavnagar Birds in Danger) ભેટે છે. કોંગ્રેસના (Bhavnagar Congress) પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ સત્તામાં છે અને તે ઈચ્છે તો જાહેરનામું બહાર પાડી શકે છે. ગંગાજળિયા તળાવ અને તેની આસપાસમાં (Bhavnagar Gangajaliya Lake) મોટી સંખ્યામાં પક્ષીઓ વસતા હોય ત્યારે તેવા વિસ્તારમાં પતંગ ઉડાડવા (Makarsankranti 2022) પ્રતિબંધ ફરમાવવો જોઈએ. કારણ કે એક જીવન પગલે આનંદ મેળવવો જરૂરી નથી. ભાજપ પક્ષી અને જીવદયાની વાત કરતી હોય છે ત્યારે પક્ષી હિતમાં નિર્ણય (To Ban Kite Flying) થવો જોઈએ તેમ મારુ માનવું છે.

આ પણ વાંચોઃ ભાવનગરના ગંગાજળિયા તળાવનું વિકાસ કાર્ય રામ ભરોસેઃ વિપક્ષનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.