ETV Bharat / city

WHO GCTM Jamnagar: કેન્દ્રીય પ્રધાનમંડળે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને આપી મંજૂરી

author img

By

Published : Mar 9, 2022, 7:55 PM IST

WHO GCTM Jamnagar: કેન્દ્રીય પ્રધાનમંડળે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને આપી મંજૂરી
WHO GCTM Jamnagar: કેન્દ્રીય પ્રધાનમંડળે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને આપી મંજૂરી

કેન્દ્રીય પ્રધાનમંડળે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપી છે. જેની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ જામનગર (WHO GCTM Jamnagar)માં કરવામાં આવશે. WHO GCTMથી પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડવા સહિતના અનેક લાભ થશે.

જામનગર: ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO GCTM Jamnagar)ની સ્થાપનાને કેન્દ્રીય પ્રધાનમંડળે મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક (Union Cabinet meeting)માં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને આ માટે મંજૂરી આપવામાં આવી છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM (Global Center for Traditional Medicine)ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એકમાત્ર કેન્દ્ર હશે.

સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એકમાત્ર કેન્દ્ર હશે.

શું લાભ થશે?

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી અનેક લાભો થશે. જેમાં સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડવું. પરંપરાગત દવાઓની ગુણવત્તા (Quality of traditional medicine), સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા. ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (WHO GCTM Informatics Center)ની કલ્પના.

આ પણ વાંચો: જામનગરમાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ સ્વાસ્થ્ય મેળાનું આયોજન

WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે - PM મોદી

આ ઉપરાંત ઉદ્દેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસ, રહેણાંકમાં તાલીમ કાર્યક્રમો યોજવા. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક (Director General of WHO) ડૉ. ટેડ્રોસ અધાનમ ગેબેરેયસસે ભારતના PM મોદીની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5માં આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.

સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવામાં થશે લાભ.
સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવામાં થશે લાભ.

સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના

આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. JTFમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓ (Representatives of WHO)નો સમાવેશ થાય છે. આના દાયરામાં, ITRA, જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલી તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત WHO GCTMનું આયોજન કરવામાં આવે.

આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે ગાંધીનગર કોલવડાની આયુર્વેદ કોલેજની લીધી મુલાકાત

પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ કરશે

વચગાળાનાં કાર્યાલયનો હેતુ પુરાવા અને નવીનતાની પેઢી, પરંપરાગત દવા માટે કૃત્રિમ બુદ્ધિ આધારિત ઉકેલો, કોક્રેન સાથે મળીને પદ્ધતિસરની સમીક્ષાઓ, WHO GPW 13 (કાર્યનો તેરમો જનરલ પ્રોગ્રામ 2019-2023) સમગ્ર પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ અને WHO GCTMના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે વ્યાપાર કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ, ટકાઉ વિકાસ અને વ્યવસ્થાપન તેમજ ક્રોસ કટિંગ કાર્યો પર આશાવાદી અભિગમ સાથે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, પરંપરાગત દવા સામાજિક-સાંસ્કૃતિક અને જૈવવિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત કરવાનો છે.

વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે

આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.
આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. આયુષ મંત્રાલયે WHO સાથે આયુર્વેદ અને યુનાની પ્રણાલીની તાલીમ (training of ayurvedic ) અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડ્યુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે. આયુષ મંત્રાલયે ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને પણ સમર્થન આપ્યું છે. પરંપરાગત દવા એ આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલીનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

અસરકારક અને સસ્તી દવાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશે

વિશ્વ 2030માં ટકાઉ વિકાસ લક્ષ્યો માટે 10 વર્ષનાં સીમાચિહ્નની નજીક છે, ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે, તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે. WHO-GCTM સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન, એકિકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે. WHO સાથે મળીને આગામી WHO- GCTM અને અન્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.