ETV Bharat / city

Bhavnagar LRD jawan Suicide : ધાબા પર કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Jan 13, 2022, 6:45 PM IST

ભાવનગરમાં LRD જવાન અને કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ભાવુભા પઢીયારે હેડક્વાર્ટરમાં આત્મહત્યા કરી લીધી હતી. જવાને ધાબામાં કેબલ વાયરથી ગળાફાંસો (Bhavnagar LRD jawan Suicide) ખાઈ લીધો હતો.

Bhavnagar LRD jawan Suicide : ધાબા પર કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Bhavnagar LRD jawan Suicide : ધાબા પર કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભાવનગરઃ ભાવનગરના LRD જવાન અને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ ભાવુભા પઢીયારે હેડક્વાર્ટરમાં ધાબામાં કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા (Bhavnagar LRD jawan Suicide) પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. LRD જવાને પોલીસ હેડક્વાર્ટર્સના ધાબા ઉપર કેબલ વાયરથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં (Bhavnagar Suicide 2022) ચર્ચા અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

જવાન મહુવાના દેવગડા ગામનો રહેવાસી

ભાવનગર શહેરમાં લોકરક્ષક દળ (LRD) એટલે કે એલઆરડીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જવાન પ્રદીપસિંહ ભાવુભા પઢીયારે અગમ્ય કારણોસર પોતાનું જીવન (Bhavnagar Suicide 2022) ટૂંકાવી લીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ હેડક્વાર્ટર માં આવેલા વિશ્રાંતિ ભવન સામેના ક્વાર્ટરના ધાબા ઉપર ગ્રીલ સાથે રહેલા કેબલ વાયરથી ગળાફાંસો (Bhavnagar LRD jawan Suicide) ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. 2021થી ટ્રેઇનિંગ પૂર્ણ કરીને હેડક્વાર્ટરમાં ફરજમાં રહેલો જવાન મૂળ મહુવાના દેવગડા ગામનો રહેવાસી છે.

આ પણ વાંચોઃ RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે

પોલીસ કાફલો દોડી ગયો અને શોકનું મોજું

LRD જવાનને આત્મહત્યા કરી (Bhavnagar LRD jawan Suicide) હોવાનું પોલીસ અધિકારીઓને જાણ થતાંની સાથે જ દરેક અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. આખરે એલઆરડી જવાને આ પગલું (Bhavnagar Suicide 2022) શા માટે ભર્યું તેને લઈને પણ કેટલીક ચર્ચાઓ પોલીસ બેડામાં થઇ હતી. પરંતુ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Bhavnagar Murder Case : ભાઈની હત્યામાં દેવર અને તેમના મીત્રને આજીવન કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.