ગુજરાત

gujarat

એક જ ઝાટકે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારનો મોટો નિર્ણય

By

Published : Jul 7, 2022, 10:53 AM IST

વૈશ્વિક ભાવમાં તીવ્ર ઘટાડા વચ્ચે, સરકારે ખાદ્ય તેલ કંપનીઓને એક સપ્તાહની અંદર આયાતી ખાદ્ય તેલની (Edible Oil Will Be Reduced By Rs 10 Per Liter) મહત્તમ છૂટક કિંમતમાં (MRP) 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધુ ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, આખા દેશમાં એક બ્રાન્ડના તેલની કિંમત સમાન હોવી જોઈએ.

એક જ ઝાટકે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારનો મોટો નિર્ણય
એક જ ઝાટકે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી: ભારત તેની ની (Edible Oil Will Be Reduced By Rs 10 Per Liter) જરૂરિયાતના 60 ટકાથી વધુ આયાત કરે છે. આવી સ્થિતિમાં, વૈશ્વિક બજારને અનુરૂપ, છેલ્લા કેટલાક મહિનામાં છૂટક કિંમતો દબાણ હેઠળ આવી છે.

વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો થયો :વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના ભાવમાં (Edible Oil Prices Fell In Global Market) નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાદ્યતેલ ઉત્પાદકોએ ગયા મહિને ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 10-15 સુધીનો ઘટાડો કર્યો હતો અને અગાઉ પણ વૈશ્વિક બજારના સંકેતોને લઈને MRPમાં ઘટાડો કર્યો હતો. વૈશ્વિક ભાવમાં વધુ ઘટાડાને ધ્યાનમાં રાખીને, ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ તમામ ખાદ્ય તેલ એસોસિએશનો અને મુખ્ય ઉત્પાદકોની એક બેઠક બોલાવી પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને MRP ઘટાડીને ગ્રાહકોને વૈશ્વિક ભાવમાં ઘટાડાના લાભો પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો:વરસાદ ખેંચાતા ખાદ્યતેલના ભાવમાં થયો વધારો, સિંગતેલના ડબ્બે રૂપિયા 10 વધ્યા

લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ :બેઠક બાદ પાંડેએ કહ્યું કે, અમે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું અને તેમને જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક ભાવમાં 10 ટકાનો ઘટાડો થયો છે. તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ. અમે તેમને MRP ઘટાડવા માટે કહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મોટા ખાદ્યતેલ ઉત્પાદકોએ આગામી સપ્તાહ સુધીમાં પામ તેલ, સોયાબીન અને સૂર્યમુખી તેલ જેવા તમામ આયાતી ખાદ્ય તેલ પર MRP 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાનું વચન આપ્યું છે.

MRPમાં ફેરફાર ન હોવો જોઈએ : તેમણે કહ્યું કે, એકવાર આ ખાદ્યતેલોના ભાવ ઘટશે તો અન્ય તેલના ભાવ પણ નીચે આવશે. આ સિવાય ખાદ્ય સચિવે ઉત્પાદકોને દેશભરમાં એક જ બ્રાન્ડના રસોઈ તેલ માટે એક જ MRP રાખવા જણાવ્યું છે. અત્યારે અલગ-અલગ પ્રદેશોમાં MRPમાં પ્રતિ લિટર 3-5 રૂપિયાનો તફાવત છે. તેમણે કહ્યું કે, અત્યારે અલગ-અલગ પ્રદેશોમાં વેચાતા એક જ બ્રાન્ડના ખાદ્યતેલની MRPમાં પ્રતિ લિટર 3-5 રૂપિયાનો તફાવત છે. જ્યારે પરિવહન અને અન્ય ખર્ચો પહેલેથી જ MRPમાં સમાવિષ્ટ હોય, ત્યારે MRPમાં ફેરફાર ન હોવો જોઈએ.

15 ડિગ્રી સેલ્સિયસ પર પેક, તેલ વિસ્તરે છે: તેમણે કહ્યું કે, કંપનીઓ આ માટે સંમત થઈ ગઈ છે. ત્રીજો મુદ્દો જે બેઠકમાં ઉભો થયો હતો તે ખાદ્યતેલની બ્રાન્ડ્સની અયોગ્ય વેપાર પ્રથાઓ અંગે વધતી જતી ગ્રાહક ફરિયાદો હતી. સેક્રેટરીએ કહ્યું કે, કેટલીક કંપનીઓ પેકેજ પર લખી રહી છે કે ખાદ્ય તેલ 15 ડિગ્રી સેલ્સિયસ પર પેક કરવામાં આવે છે. આ તાપમાને તેલ વિસ્તરે છે અને વજન ઓછું થાય છે. આદર્શ રીતે તેઓ 30 ° સે પર પેક કરવા જોઈએ. 15 ડિગ્રી સેલ્સિયસ પર પેક, તેલ વિસ્તરે છે અને વજન ઓછું થાય છે.

આ પણ વાંચો:મોંઘવારીનો માર: ખાદ્ય તેલ જનતાનું નીકાળી રહી છે તેલ

ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર :પેકેજ પર ઓછું વજન છાપવામાં આવતું નથી, જે અયોગ્ય વેપાર પ્રથા છે. તેમણે કહ્યું કે, ઉદાહરણ તરીકે કંપનીઓ છાપી રહી છે કે 910 ગ્રામ ખોરાક 15 ડિગ્રી સેલ્સિયસ પર પેક કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક વજન 900 ગ્રામથી ઓછું હશે. તેમણે કહ્યું કે, ગ્રાહક બાબતોનું મંત્રાલય પણ આ અંગે વાકેફ છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 6 જુલાઈના રોજ, પામ તેલનો અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવ રૂપિયા 144.16 પ્રતિ કિલો, સૂર્યમુખી તેલ રૂપિયા 185.77 પ્રતિ કિલો, સોયાબીન તેલ રૂપિયા 185.77 પ્રતિ કિલો, સરસવનું તેલ રૂપિયા 177.37 પ્રતિ કિલો અને સીંગદાણાનો ભાવ રૂપિયા તેલની કિંમત 187.93 રૂપિયા પ્રતિ કિલો હતી.

ABOUT THE AUTHOR

...view details