અરવલ્લીમાં કમોસમી વરસાદથી ધરતીનો તાત ચિંતામાં
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4901381-thumbnail-3x2-rain.jpg)
અરવલ્લીઃ છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળતા મંગળવારે બપોર બાદ અરવલ્લીના મોડાસા તેમજ આસપાસના વિસ્તારમાં સતત એક કલાક સુધી ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ નહીં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જ્યારે મગફળીના પાકને નુકસાન થવાની ભીંતિએ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.