ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેચ્યું

By

Published : Dec 30, 2020, 1:48 PM IST

Updated : Dec 30, 2020, 2:22 PM IST

thumbnail

ભરૂચ લોકસભાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટીમાંથી રાજીનામું આપતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલ્યા બાદ તેઓ એકાએક ગાયબ થઈ જતા કાર્યકરો પણ ચિંતિત થયા હતા. આજે મનસુખ વસાવા ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને મળ્યા હતા. ત્યારબાદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી.તેમને ગઈકાલે (મંગળવાર)ના રોજ આપેલું રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મેં ગઈકાલે રાજીનામું આપ્યું હતું.તેમણે કહ્યું કે,મારે કોઈની સાથે કે પાર્ટી સામે કોઈ નારાજગી નથી. મારી શારીરિક તકલીફને કારણે મારા મિત્રો અને સ્નેહીજનોએ મને આરામ કરવાની સલાહ આપી હતી. પાર્ટી પર દબાણ લાવવાનો પણ મેં કોઈ પ્રયાસ કર્યો નથી.

Last Updated : Dec 30, 2020, 2:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.