ETV Bharat / state

રાજકોટમાં કચરામાંથી દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે

author img

By

Published : Jan 3, 2023, 4:12 PM IST

રાજકોટ શહેરમાં હવે ટૂંક સમયમાં કચરામાંથી વીજળી (Rajkot will generate electricity from waste) બનશે. જ્યારે આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે દરરોજ 1000 ટન ઘનકચરાનો નિકાલ કરી વિજળી ઉત્પન કરી શકાશે. જ્યારે આ પ્લાન્ટનું આ વર્ષે જ લોકાર્પણ થઈ જશે. તેમજ તેમાંથી દર કલાકે 15 મેગા વોટ વીજળીનું ઉત્પાદન (15 MW electricity generated every hour from waste) થશે.

Rajkot will generate electricity from waste
Rajkot will generate electricity from waste

કચરામાંથી દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે

રાજકોટ: રાજકોટ કોર્પોરેશન દ્વારા હવે કચરામાંથી એટલે કે વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. જે માટેનો પ્લાન્ટ રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા રોડ ઉપર નાકરાવાડી ખાતે બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે અને આ પ્લાન્ટમાં વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે. અંદાજિત રૂ.250 કરોડથી વધુના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટૂંક સમયમાં જ રાજકોટ કોર્પોરેશનને દર કલાકે 15 મેગાવોટ વીજળી આ પ્લાન્ટમાંથી મળશે. જો કે આ પ્લાન્ટના નિર્માણની કામગીરી હાલ તેજ કરવામાં આવી (15 MW electricity generated every hour from waste) છે.

1000 ટન ઘનકચરાનો નિકાલ કરી વિજળી ઉત્પન કરી શકાશે
1000 ટન ઘનકચરાનો નિકાલ કરી વિજળી ઉત્પન કરી શકાશે

15 એકર જમીનમાં બનશે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ: નાકરાવાડી ખાતે 15 એકર જમીનમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ નિર્માણ માટે અંદાજિત રૂ.250 કરોડથી વધુનો ખર્ચ થશે. જ્યારે પ્લાન્ટની સાથે આસપાસના વિસ્તારમાં 14000 જેટલા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. તેમજ રમત ગમતના મેદાન માટે 6700 ચોરસ મીટર જગ્યા પણ ફાળવવામાં આવી છે. જેનાથી આ વિસ્તારનો વિકાસ પણ કરી શકાય. રાજકોટમાં હાલમાં જે દૈનિક કચરો ભેગો થાય છે તેને એકઠો કરીને આ પ્લાન્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં (15 MW electricity generated every hour from waste) આવશે.

આ પણ વાંચો પ્રવાસન માટે ગુજરાત બન્યું હોટ સ્પોટ, 20 વર્ષમાં આવ્યા 16 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ

કામગીરી પુરજોશમાં: આ પ્લાન્ટનું પંચાવન ટકા કામ પૂર્ણ થયું છે, પ્લાન્ટ કાર્યરત થતા દરરોજ 1000 ટન ઘન કચરાનો નિકાલ કરી વિજળી ઉત્પનકરવામાં આવશે. આમ રાજકોટ શહેરમાં હવે ટૂંક સમયમાં કચરામાંથી વીજળી બનશે. જ્યારે આ પ્લાન્ટ કાર્યરત થશે ત્યારે દરરોજ 1000 ટન ઘનકચરાનો નિકાલ કરી વિજળી ઉત્પન કરી શકાશે. આ પ્લાનનું આ વર્ષે લોકાર્પણ કરીને દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન થશે.. એટલે કે દરરોજ મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન (15 MW electricity generated every hour from waste) થશે.

આ પણ વાંચો ચીખલીના ચિતાલી ગામેથી પૌરાણિક સિક્કા મળી આવતા ચર્ચા, આવી છે કથા

દર કલાકે 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે: આ અંગે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે શહેરમાં જે દૈનિક કચરો એકઠો થાય છે. તેનો નિકાલ થાય અને આ કચરામાંથી વીજળી ઉત્પન્ન થાય તે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. હાલ આપણા રાજકોટ શહેરમાંથી દૈનિક 600 ટન જેટલો કચરો એકઠો થઈ તેનો નિકાલ થાય છે. ત્યારે આ પ્લાન્ટની કેપીસીટી 1000 ટનની છે. જેને કારણે આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ પ્લાન્ટનું આ વર્ષે જ લોકાર્પણ થઈ જશે. તેમજ તેમાંથી દર કલાકે 15 મેગા વોટ વીજળીનું ઉત્પાદન (15 MW electricity generated every hour from waste) થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.