ETV Bharat / state

Mango In Porbandar: પોરબંદરમાં કેરીનું આગમન, ગીરની કેસર કેરી માટે લોકોએ જોવી પડશે રાહ

author img

By

Published : Mar 24, 2022, 10:30 PM IST

પોરબંદર (Mango In Porbandar)માર્કેટિંગ યાર્ડમાં બરડાની કેસર કેરીની આવક શરૂ થઈ છે. આ વર્ષે બજારમાં ગીરની કેસર કેરી મોડી આવશે. વાવાઝોડાના કારણે ગીર સાસણમાં અનેક આંબા નષ્ટ થયાં હતા જેના કારણે કેસર કેરીની આવક ઘટી શકે છે.

Mango In Porbandar: પોરબંદરમાં કેરીનું આગમન, ગીરની કેસર કેરી માટે લોકોએ જોવી પડશે રાહ
Mango In Porbandar: પોરબંદરમાં કેરીનું આગમન, ગીરની કેસર કેરી માટે લોકોએ જોવી પડશે રાહ

પોરબંદર: પોરબંદરની બજારમાં (Mango In Porbandar) આસપાસના ગામોમાંથી કેરીનું આગમન થયું છે. જો કે વાવાઝોડા (Storms In Saurashtra)ના કારણે ગીર પંથકમાં આંબાને (mango tree farming in gir)નુકસાન થયું હોવાથી ગીરની કેસર કેરી (gir kesar mango) હજુ મોડી આવશે તેવું વર્તાઈ રહ્યું છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ (porbandar marketing yard)માં બરડાની કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેરીના કિલોનો ભાવ 300થી 400 રૂપિયા છે.

પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ગીરની કેસર કેરી મોડી આવશે.
પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ગીરની કેસર કેરી મોડી આવશે.

ગીરની કેસર કેરી મોડી આવશે- પોરબંદરમાં ખંભાળા, હનુમાનગઢ, કાટવાણા સહિતના વિસ્તારોમાં આવેલી આંબાના બાગોમાં કેરીના ફળ આવતા પોરબંદરની બજારમા કેરીઓ આવે છે. ખાસ કરીને બરડાના ખંભાળા વિસ્તારની કેરીઓ પોરબંદર પંથકના લોકોની પ્રથમ પસંદ છે. તો પોરબંદરના NRI લોકો વિદેશમાં પણ આ કેરી લઈ જાય છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે ગીરની કેસર કેરી મોડી આવશે.

આ પણ વાંચો: Mango Production in Gir Somnath: વાવાઝોડાની અસરના કારણે ગીરમાં કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા

કેસર કેરીના ભાવમાં વધારો જોવા મળશે- કેસર કેરી મોડી આવવાનું કારણ આ વર્ષે વાવાઝોડા દરમિયાન ગીર સાસણમાં અનેક આંબા (mangos In Gir Sasan) નષ્ટ થયા હતા. જેને પગલે કેસર કેરીની આવક ઓછી થશે અને ભાવમાં ખૂબ વધારો જોવા મળશે તેવું પપ્પુ ભાઈ ફ્રૂટ વાળાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

પોરબંદરમાં હાલ રત્નાગીરીની હાફૂસ કેરીનું વેચાણ શરૂ- વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં હાલ રત્નાગીરીથી હાફૂસ કેરી (ratnagiri hapus mango) તથા બેંગ્લોરની લાલબાગ કેરીનું પણ વેચાણ થઈ રહ્યું છે. જેમાં રત્નાગીરીથી 500થી 700 કિલો હાફૂસ કેરીની આવક થઈ હતી, જે બજારમાં કિલોના રૂ.500થી 600ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે બેંગ્લોરથી 200 કિલો લાલબાગ કેરીની આવક થઈ હતી, જે બજારમાં કિલોના રૂ. 200થી 300ના ભાવે વેચાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.