ETV Bharat / state

Jitu Vaghani Urges : વાઘાણીની કામ કરી ગઇ અપીલ, રાજપૂત સમાજે ઘૂંઘટ પ્રથાને લઇ મોટો નિર્ણય કર્યો

author img

By

Published : Jun 24, 2022, 5:28 PM IST

Updated : Jun 24, 2022, 5:37 PM IST

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મહેસાણાના રાંતેજમાં એક ક્રાયક્રમ (Minister Jitu Vaghani in Rantel) દરમિયાન જાહેર મંચ પરથી ઘૂંઘટ પ્રથાને હટાવવાની અપીલ (Jitu Vaghani urges woman sarpanch to unveil herself ) કરી હતી. જેને રાજપૂત સમાજના આગેવાનોએ શો પ્રતિભાવ આપ્યો તે વાંચો આ અહેવાલમાં.

Jitu Vaghani Urges : વાઘાણીની કામ કરી ગઇ અપીલ, રાજપૂત સમાજે લીધો ઘૂંઘટપ્રથાને લઇ મોટો નિર્ણય કર્યો
Jitu Vaghani Urges : વાઘાણીની કામ કરી ગઇ અપીલ, રાજપૂત સમાજે લીધો ઘૂંઘટપ્રથાને લઇ મોટો નિર્ણય કર્યો

મહેસાણા- શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી મહેસાણાના રાંતેજમાં (Minister Jitu Vaghani in Rantel) રાજપૂત સમાજ માટે ક્રાંતિકારી કહેવાય એવી કુપ્રથા દૂર કરવાની અપીલ કરી હતી. તેઓનું સન્માન કરવા આગળ આવેલા રાંતેજ ગામના પ્રથમ સરપંચ (First woman sarpanch of Rantej) મીનાબા ઝાલાએ લાજ કાઢેલી હતી. તે જોયાં બાદ તેમણે મહિલા સરપંચને લાજ પ્રથામાંથી મુક્ત (Jitu Vaghani urges woman sarpanch to unveil herself ) થવા વિનંતીના સૂરમાં જણાવ્યું હતું. શિક્ષણપ્રધાનની પહેલને લઇને રુઢિચુસ્ત સમુદાયના (Ghunghat Tradition in Rajput Samaj ) મહિલા સરપંચે જાહેર કાર્યક્રમોમાં સરપંચ તરીકે ઉપસ્થિત હોય ત્યારે લાજ ન કાઢવાની તૈયારી દર્શાવી હતી.

આમ બન્યો કિસ્સો - જ્યારે 35 વર્ષીય મીનાબા ઝાલા જેઓ રાજપૂત સમુદાયના છે તેઓ ગુરુવારે રાંતેજ ગામમાં (Minister Jitu Vaghani in Rantel) તેમના સન્માનના ભાગરૂપે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવા સ્ટેજ પર આવ્યાં ત્યારે તેમણે જોયું કે મહિલા સરંપચે આખો ચહેરો લાજ કાઢીને સાડીથી ઢાંકી દીધો હતો. જેથી જીતુ વાઘાણીએ મીનાબાને ઓછામાં ઓછા જાહેર કાર્યક્રમો દરમિયાન આ પરંપરાથી દૂર રહેવા વિનંતી (Jitu Vaghani urges woman sarpanch to unveil herself ) કરી હતી.

આ પણ વાંચોઃ કચ્છમાં 20 વર્ષીય યુવતી બની સરપંચ, કુનરીયા ગામમાં બાલિકા પંચાયતની રચના

શિક્ષણપ્રધાને કરી સમાજને અપીલ -આ સાથે જીતુ વાઘાણીએ રાજપૂત સમાજને Ghunghat Tradition in Rajput Samaj )પણ કહ્યું કે હું માનું છું કે તેમણે ઓછામાં ઓછા જાહેર કાર્યક્રમોમાં પોતાનો ચહેરો ઢાંકવો જોઈએ નહીં. તે ફક્ત મારી (Minister Jitu Vaghani in Rantel)વિનંતી છે અને આ બાબતે વડીલોએ નક્કી કરવાનું છે. આ સમયે ઉપસ્થિત લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું કે તેઓ રાજપૂત છે અને તેથી તેમની મહિલાઓ પડદા પાછળ રહે છે.વાઘાણીએ કહ્યું કે તેઓ કોઈ જાતિ વિશે નથી કહી રહ્યાં કે તેઓ આ પરંપરાની વિરુદ્ધ પણ નથી.વાઘાણીએ ઉમેર્યું કે આ કોઈ જાતિ વિશે નથી. હું મીનાબાને લાજ કાઢવાથી દૂર રહેવા વિનંતી કરું છું. હું આ પરંપરાની વિરુદ્ધ નથી. પરંતુ આપણે બધાએ બદલાતા સમયને અનુરૂપ બનવાની જરૂર છે. આ માત્ર મારી વિનંતી છે અને ગામના વડીલોએ આ અંગે અંતિમ નિર્ણય લેવાનો છે. તમારી સ્ત્રીઓને આ પરંપરામાંથી બહાર લાવો. તેમને સમાન બનાવો. વાઘાણીએ મંચ પરથી આવી (Jitu Vaghani urges woman sarpanch to unveil herself )અપીલ કરી હતી.

ગામના રાજપૂત સમાજના વડીલોએ ઘૂંઘટ હટાવવા પરવાનગી આપી
ગામના રાજપૂત સમાજના વડીલોએ ઘૂંઘટ હટાવવા પરવાનગી આપી

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ ભીલડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા મહિલાઓને અપાઇ છે સહાય

વાઘાણીની અપીલ કામ કરી ગઇ -જીતુ વાઘાણીના (Minister Jitu Vaghani in Rantel)સૂચનને ત્યાં ઉપસ્થિત રાજપૂત સમાજના Ghunghat Tradition in Rajput Samaj ) વડીલ ગૌભા ઝાલાએ વધાવી લીધું હતું તેમણે મહિલા સરપંચ મીનાબા ઝાલાનેે લાજ દૂર કરવા પરવાનગી આપી હતી. આ સમગ્ર ઘટનાને લઇને મીનાબા ઝાલાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે વાઘાણીએ મને સરપંચ તરીકે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે આ પરંપરામાંથી બહાર આવવા વિનંતી કરી હતી. તેમણે પ્રેક્ષકોમાં બેઠેલા સમુદાયના વડીલોને પણ આગળ આવવા અને સમાનતા લાવવાની પ્રથાને દૂર કરવા વિનંતી કરી. કોઈને દબાણ કર્યા વિના વાઘાણીએ કહ્યું કે આ અંગે ગ્રામજનોએ નિર્ણય લેવાની જરૂર છે.

રાંતેજના પ્રથમ મહિલા સરપંચનું નિવેદન -રાંતેજના પ્રથમ મહિલા સરપંચ (First woman sarpanch of Rantej) મીનાબા ઝાલાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાંતેજના આ કાર્યક્રમમાં લાજ કાઢવાની રાજપૂત સમાજની પ્રથાને લઇને શિક્ષણ પ્રધાનને ખાતરી (Jitu Vaghani urges woman sarpanch to unveil herself )આપવામાં આવી હતી કે ગામની રાજપૂત મહિલાઓ જાહેરમાં તેમના ચહેરાને ઢાંકશે નહીં અને હવેથી માત્ર ઘરે જ ઘૂંઘટ પ્રથાનું પાલન કરશે

Last Updated :Jun 24, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.