ETV Bharat / state

એક સમયે જ્યાં લોકો માણસ જોવા તરસી જતા એ જગ્યાએ આજે રણોત્સવની ધૂમ, થાય છેે મોટી આવક

author img

By

Published : Jan 3, 2023, 4:08 PM IST

કચ્છના સફેદ રણમાં દર વર્ષે જૂદી જૂદી થીમ (Rann ke Rang Theme) પર રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2005માં શરૂ થયેલો આ રણોત્સવ પહેલા માત્ર 3 દિવસ માટે યોજાયો હતો. જોકે, હવે જોતજોતામાં આ રણોત્સવ 115 દિવસ એટલે કે ત્રણ મહિના સુધી યોજાય છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ (Tourist Crowd at Rann Utsav 2023) જોવા મળે છે. ત્યારે શું છે આ રણોત્સવનું મહત્વ ને કોને થાય છે આનાથી ફાયદો તેની પર કરીએ એક નજર.

એક સમયે જ્યાં લોકો માણસ જોવા તરસી જતા એ જગ્યાએ આજે રણોત્સવની ધૂમ, થાય છેે મોટી આવક
એક સમયે જ્યાં લોકો માણસ જોવા તરસી જતા એ જગ્યાએ આજે રણોત્સવની ધૂમ, થાય છેે મોટી આવક

રણોત્સવ એ કચ્છની ઓળખ બન્યું

કચ્છ 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને (Tourist Crowd at Rann Utsav 2023) આકર્ષતું સફેદ રણ (White desert of Kutch) હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ (Rann Utsav 2023 in Kutch) યોજાય છે. વર્ષ 2005થી શરૂ થયેલા આ રણોત્સવમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે.

કચ્છના રણની વિશેષતા કચ્છ જિલ્લામાં થાર રણમાં મીઠી માર્શી જમીન છે. તે પાકિસ્તાનના સિંધ પ્રાન્ત અને ભારતના ગુજરાત વચ્ચે આવેલું છે. તેમાં આશરે 30,000 ચોરસ કિલોમીટર જમીન છે. આમાં કચ્છનું મોટું રણ, કચ્છનું નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો સમાવેશ થાય છે. કચ્છનું રણ તેના સફેદ મીઠાની રેતી (White desert of Kutch) માટે જાણીતું છે અને તે વિશ્વનું સૌથી મોટું મીઠું રણ તરીકે ગણાય છે.

વિશ્વભરના મુલાકાતીઓ રણની મુલાકાતે ગુજરાત સરકાર દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે રણોત્સવ (Rann Utsav 2023 in Kutch) નામથી આ ઉત્સવ ઉજવે છે, જેમાં મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામાં આવે છે. તેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ સ્થળની મુલાકાત માટે આવે છે. આસપાસના સ્થાનિક લોકો માટે આ આવકનો મુખ્ય સ્રોત છે.

રણોત્સવ એ કચ્છની ઓળખ બન્યું વર્ષ 2001ના ગોઝારા ભૂકંપને 2 દાયકા પૂર્ણ થયા. એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓ માટે સ્વર્ગ છે. સફેદ રણમાં (White desert of Kutch) રણોત્સવ એ કચ્છની ઓળખ બન્યું છે. સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ (Rann Utsav 2023 in Kutch) સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Narendra Modi News) બહુ જૂનો સબંધ છે. તેઓ મુખ્યપ્રધાન બન્યા પછી તેમણે વર્ષ 2005માં આ રણોત્સવની શરૂઆત કરાવી હતી.

રણોત્સવ થકી ગામનો થયો વિકાસ
રણોત્સવ થકી ગામનો થયો વિકાસ

ધોરડો ગામ પાસે યોજાય છે રણોત્સવ આ રણોત્સવ (Rann Utsav 2023 in Kutch) જે ગામ પાસે યોજાય છે. તે ગામ ધોરડો, જે કચ્છના જિલ્લામથક ભૂજથી 90 કિલોમીટર દૂર આવેલું છે. કચ્છના બન્ની વિસ્તારના ધોરડો (Dhordo Village Kutch) અને આજુબાજુના અનેક ગામોના લોકો માને છે કે, વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi News) જે કહેલું તે કરી બતાવ્યું છે. આજે આ ગામ દુનિયાના નકશા પર જાણીતું બની ગયું છે. સફેદ રણની (White desert of Kutch) પાસે વસેલું આ ગામ પછાતની ગણતરીમાં આવતું હતું. વિસ્તારના ઘણા ગામો ધોરડો (Dhordo Village Kutch) જૂથ પંચાયતમાં આવે છે. એ વિસ્તારના આગેવાન હતા. ગૂલબેગ મિયાં હુસૈન મુત્વા. 35 વર્ષ સુધી એ જૂથ પંચાયતના સરપંચ રહ્યા હતા અને એમને મહેમાનગતિનો પણ ઘણો શોખ તેમની પાસે મોટા મોટા માણસો પણ આવતા હતા.

સંઘના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદીએ જોયું હતું સૌપ્રથમ વખત રણ જ્યારે નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર્તા (Narendra Modi News) હતા. ત્યારે તેઓ આખા રાજ્યમાં ફરતા હતા. તેઓ એક વખત બન્ની વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમની મુલાકાત આ વિસ્તારના આગેવાન ગુલબેગ હુસૈન સાથે થઈ હતી. તે સમયે રણ એટલે ડર લાગે એવી જગ્યા ગણાતી હતી. કારણ કે, વેરાન રણ હતું. ન કોઈ વ્યક્તિની અવરજવર ન કોઈ પશુપક્ષીઓની અવરજવર ગુલબેગ હુસૈન કોઈ મોટા માણસ તેમને ત્યાં આવે એટલે સફેદ રણ (White desert of Kutch) બતાવે. તેમણે નરેન્દ્ર મોદીને પણ આ વાત કહી હતી. બન્ને રાતે સફેદ રણમાં ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ ગુલબેગ હુસૈનને કહ્યું હતું કે, આ તો આખી દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે. મોદીએ એ વખતે ગુલબેગ હુસૈનને દિલાસો આપતાં કહ્યું હતું કે, જ્યારે પણ તેમની પાસે સત્તા હશે. ત્યારે આ સ્થળને આખી દુનિયાને દેખાડીશ. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન (Narendra Modi News) બન્યા પછી જે થયું એ બધા જાણે છે.

વર્ષ 2005માં યોજાયો પ્રથમ રણોત્સવ વર્ષ 1993માં ગુલબેગ હુસૈનનું અવસાન થયું હતું. નરેન્દ્ર મોદી (Narendra Modi News) ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ પણ કચ્છના સફેદ રણને (White desert of Kutch) દુનિયા સામે મૂકવાની એ વાતને ભૂલ્યા નહોતા. વર્ષ 2005માં તેમણે વિધિવત્ રીતે રણોત્સવની (Rann Utsav 2023 in Kutch) શરૂઆત કરાવી અને આજે રણોત્સવ દેશદુનિયામાં જાણીતું છે. અગાઉ વર્ષ 1992માં એક વખત પ્રવાસન વિભાગ (Gujarat Tourism Department) દ્વારા કચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી (Narendra Modi News) જાતે રણોત્સવમાં (White desert of Kutch) હાજરી આપવા પણ જતા હતા.

રણોત્સવ થકી ગામનો થયો વિકાસ આજે રણોત્સવના (Rann Utsav 2023 in Kutch) કારણે આસપાસના ગામના લોકોના જીવન બદલાઈ ગયા છે. સાવ પછાત ગણાતો બન્ની વિસ્તાર જોવા આજે દુનિયાના દરેક ખૂણેથી લોકો આવે છે. બન્ની વિસ્તારનો રણોત્સવના કારણે સાચા અર્થમાં વિકાસ થયો છે. ગામના સ્થાનિક લોકો માટે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. ધોરડો સરહદનું (Dhordo Village Kutch) અંતિમ ગામ છે, પરંતુ ગામના લોકો એને એક નંબરનું ગામ માને છે. આ ગામ 400 વર્ષથી પણ જૂનું છે. અહીં 550 જેટલી વસ્તી છે. આજે આ ગામમાં સારા રસ્તા, બેન્ક, ATM, શાળા, કમ્યુનિટી હૉલ, શૌચાલય સાથેના ઘર છે, ડેરી છે તથા 100 ટકા રોજગારી છે, 4G નેટવર્ક છે તથા પ્રવાસીઓના કારણે પણ ગામનું ખૂબ વિકાસ થયું છે. આગામી સમયમાં અહીં વધુને વધુ પ્રવાસન વિભાગનું વિકાસ (Gujarat Tourism Department) થાય તથા ગામના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે.

આ પણ વાંચો રણોત્સવમાં ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ, રીલ્સની થ્રીલ માણતા પ્રવાસીઓ

દર વર્ષે જૂદી થીમ દર વર્ષે રણોત્સવમાં અવનવા (Rann Utsav 2023 in Kutch) આકર્ષણના કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. તો દર વર્ષે જૂદી જૂદી થીમ પર રણોત્સવનું (Rann Utsav 2023 in Kutch) આયોજન કરવામાં આવતું હોય છે. રણોત્સવમાં અતૂલ્ય ભારત, રણ કે રંગ (Rann ke Rang Theme), રણ કી કહાનિયાં વગેરે જેવી થીમ રાખવામાં આવે છે. સફેદ રણમાં (White desert of Kutch) દર વર્ષે પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી 4 મહિના માટે બંધાય છે. તેમાં 350 જેટલા ટેન્ટ નવ ક્લસ્ટરમાં ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે કચ્છના દરેક ખૂણાના કારીગરો માટે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવે છે, જેમાં જિલ્લાની 8 ખ્યાતનામ હસ્તકળા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે છે.

3 દિવસ યોજાતો રણોત્સવ હવે 115 દિવસ યોજાય છે દર વર્ષે યોજાતા રણોત્સવ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા લલ્લુજી એન્ડ સન્સના PRO અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, જો દર વર્ષે રણોત્સવમાં થતાં ફેરફારની વાત કરવામાં આવે તો, રણોત્સવની (Rann Utsav 2023 in Kutch) જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે માત્ર 3 દિવસના રણોત્સવ (Rann Utsav 2023 in Kutch) યોજાતો હતો. ભારતના લોકોને પણ ખબર નહતી કે મીઠાનું રણ પણ હોઈ શકે છે. દર વર્ષે જેમ રણોત્સવ યોજાતા ગયા તેવી રીતે સરકારે પણ રણોત્સવને વધુ ઉંચાઈઓ આપવા માટે પોતાના અનેક પ્રયત્નો કર્યા છે. રણોત્સવને સફળ બનાવવા માટે દરેક લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે. દર વર્ષે યોજાતા રણોત્સવમાં (White desert of Kutch) નોંધનીય ફેરફારો કરવામાં આવતા હોય છે. તેમ જ નવાનવા આકર્ષણના કેન્દ્રો ઊભા કરવામાં આવતાં હોય છે. આ ઉપરાંત આગામી વર્ષોમાં હજી પણ રણોત્સવમાં અનેક મોટા ફેરફારો જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.