ETV Bharat / state

Anand Accident Case : તીર્થ સ્થળે દર્શનાર્થે જતા પહેલા સર્જાયો ગમખ્વાર અકસ્માત, જૂઓ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા

author img

By

Published : Apr 23, 2022, 1:57 PM IST

બોરસદ-આણંદ માર્ગ પર ST બસ અને મીની ટ્રાવેલર બસ વચ્ચે અકસ્માત (Anand Accident Case) સર્જાયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રાવેલર બસમાં (Accident on Anand Road) સવાર લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જુઓ શા માટે અકસ્માત સર્જાયો...

Anand Accident Case : તીર્થ સ્થળે દર્શનાર્થે જતા પહેલા સર્જાયો ગમખ્વાર અકસ્માત, જૂઓ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા
Anand Accident Case : તીર્થ સ્થળે દર્શનાર્થે જતા પહેલા સર્જાયો ગમખ્વાર અકસ્માત, જૂઓ કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા

આણંદ : બોરસદ-આણંદ માર્ગ પર ભયંકર અકસ્માત (Borsad Anand road Accident) થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ST બસ અને મીની ટ્રાવેલર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રાવેલર બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. તો સાથે 3 જેટલા મુસાફરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતાં 7 જેટલી 108માં તમામ ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટે ફરજ પડી હતી. આણંદ રેલ્વે સ્ટેશનથી ટ્રાવેલર બસમાં માણેજ ખાતે મણી લક્ષ્મી તીર્થ ખાતે જતા દર્શનાર્થીઓને (Anand Accident Case) અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો : ચાણસ્મા મહેસાણા હાઈવે પર ગાડીનું ટાયર કઈ રીતે બન્યું 3 લોકોના મોતનું કારણ, જાણો

15થી વધૂ પેસેન્જરને ઈજા - બોરસદના ડેપોમાંથી બસ નીકળીને આણંદ તરફ જતી હતી અને પુર ઝડપે અંબિકા ટેમ્પો ટ્રાવેલ્સ આણંદથી બોરસદ તરફ આવી રહ્યો હતો. ત્યારે અંબિકા ટ્રાવેલ્સના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા (Accident Between ST bus-mini Traveler) બેકાબૂ બનેલી ટેમ્પો ટ્રાવેલર અને બસ વચ્ચે સામ સામે અકસ્માત (Accident on Anand Road) સર્જાયો હતો. તેમાં 15થી વધારે પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક 15થી વધારે પેસેન્જરોને જુદી જુદી હોસ્પિટલોએ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Exclusive Video: ત્રિકૂટ રોપવે અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે

દર્શનાર્થે જતા પહેલા અકસ્માત - અકસ્માતની ધટનાની જાણ પોલીસને (Anand Police) થતા ઘટના સ્થળ પર તાત્કાલીક દોડી ગઈ હતી. મળતી માહીતી મુજબ ટેમ્પો ટ્રાવેલરમાં સવાર મુસાફરો મૂળ કર્ણાટકના વતની હતા અને તારાપુર પાસે આવેલ માણેજ ગામે મણિ લક્ષ્મી તીર્થ (Mani Lakshmi Tirth) ખાતે દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં તીર્થ સ્થળે પહોંચ્યા પહેલા બોરસદ પાસે યાત્રાળુઓને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.