ETV Bharat / state

અમદાવાદ: ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની બે ભાઈઓએ કરી હત્યા

author img

By

Published : Dec 27, 2022, 4:22 PM IST

અમદાવાદના કૃષ્ણનગરમાં (murder in krishnanagar ahmedabad) એક યુવકની હત્યાને બે ભાઈઓએ અંજામ (youth was killed by two brothers) આપતા પોલીસ ફરિયાદ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી (Both accused were arrested) છે. સોસાયટીની બહાર બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં તેઓના પરિચિત રમેશ મારવાડી નામના વ્યક્તિની બે ભાઈઓએ હત્યા કરી હતી.

murder in krishnanagar ahmedabad
murder in krishnanagar ahmedabad

ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની હત્યા

અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટના બની (murder in krishnanagar ahmedabad) છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સૈજપુરમાં આવેલા ગણેશનગરમાં એક યુવકની હત્યાને બે ભાઈઓએ અંજામ આપતા (youth was killed by two brothers) પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી (Both accused were arrested) છે. ગણેશનગરમાં રહેતા અને AMCમાં સફાઈકર્મી તરીકે કામ કરતા દિનેશભાઈ પુહાર(મારવાડી)એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓના પરિચિત રમેશ મારવાડી નામના વ્યક્તિની બે ભાઈઓએ હત્યા કરી (youth was killed by two brothers) હતી.

આ પણ વાંચો સુરતના અમરોલી ત્રિપલ મર્ડર કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા

બાઈક અથડાવવા બાબતે થયો હતો ઝઘડો: 25 મી ડિસેમ્બરના રોજ ફરિયાદી દિનેશભાઈનો દીકરો અનિલ ઘરેથી બપોરે 12 વાગે નોકરીએ જવા માટે નીકળ્યો હતો અને સોસાયટીની બહાર જયેશ ચૌહાણ અને અનિલ ચૌહાણ સાથે બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જે સમયે જયેશ ચૌહાણએ અનિલને માર માર્યો હતો. જે બાદ ફરિયાદીએ ત્યાં પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને દીકરાને નોકરી પર મોકલ્યો હતો. જો કે આ ઝઘડો વધુ ન ફેલાય તેના માટે ફરિયાદીએ પોતાના પરિચિત રમેશભાઈ મારવાડી, બળદેવભાઈ અને અજય પોહાર સહિતના લોકોને ઘરે બોલાવ્યા હતા અને સાંજના સમયે જયેશ ચૌહાણ અને અનિલ ચૌહાણના ઘરે ગયા (youth was killed by two brothers) હતા.

આ પણ વાંચો ISROના ઈન્ટર્નને ઈમેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

'બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે સવારે ઝગડો થયો હતો. ઝઘડો વધુ ન ફેલાય તેના માટે ફરિયાદીએ પોતાના પરિચિત રમેશભાઈ મારવાડી, બળદેવભાઈ અને અજય પોહાર સહિતના લોકોને ઘરે બોલાવ્યા હતા. સમાધાન કરવા ગયેલા યુવકની બન્ને ભાઈઓએ હત્યા કરી નાખી છે. જો કે તેમની વચ્ચે થયેલા ઝગડા અંગે પોલીસમાં કોઈ ફરિયાદ કરાઈ નથી. મળેલી માહિતી અનુસાર તેઓ AMCમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે ' કૃષ્ણનગર પોલીસ

પોલીસે કરી કાર્યવાહી: ઘટનાના સમયે જયેશ ચૌહાણ અને અનિલ ચૌહાણ ઉશ્કેરાયા હતા અને લાકડીઓથી મારામારી થઇ હતી. જે ઘટનામાં રમેશ મારવાડી નામના યુવકને માથામાં લાકડી મારી બાદમાં પથ્થર મારવામાં આવતા તેઓનું મોત નીપજ્યું (youth was killed by two brothers) હતું. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી (Both accused were arrested) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.