ETV Bharat / state

ગુજરાતમાં વધતા જતા હત્યાના કેસ અંગે કોંગ્રેસ કર્યા આકરા સવાલ

author img

By

Published : Jan 9, 2023, 9:48 PM IST

ગુજરાતમાં હત્યાઓનો સિલસિલો, ઉકળી કોંગ્રેસ
ગુજરાતમાં હત્યાઓનો સિલસિલો, ઉકળી કોંગ્રેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જે 10 હત્યાઓ (Murder Crime in Gujarat )થઈ હતી. તેને લઈને ગુજરાત કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં 10 હત્યાઓની ઘટના (Surge in Crime incidents in Gujarat )એ ભાજપ સરકાર (Bjp Government)ની સબ સલામતના દાવાની પોલ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress committee) ખોલી નાખી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

અમદાવાદ વધતી જતી ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress ) સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ બની બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાત રક્તરંજિત ( Surge in Crime incidents in Gujarat ) બન્યુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 નિર્મમ હત્યાઓની ઘટના (Murder Crime in Gujarat )બની છે.

આ પણ વાંચો કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ, સરકાર દુષ્કર્મના ગુનાઓના આંકડાઓ છુપાવી રહી છે

રાજ્યમાં ક્યાં થઇ હત્યા ગુજરાતમાં હત્યાના ગુનાઓનો સિલસિલો વધ્યો છે તેમાં ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress committee) કેટલાક આંકડા પણ આપ્યાં છે. અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના ( Surge in Crime incidents in Gujarat ) બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયરે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા (Murder Crime in Gujarat ) કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો સબસલામતની વાત કરતી સરકારના રાજમાં ગુજરાતની મહિલાઓ અસલામત, કૉંગ્રેસે કર્યા પ્રહાર

ગુજરાતમાં 24 કલાકમાં બનેલી 10 હત્યાઓ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલી 10 હત્યાઓ ( Surge in Crime incidents in Gujarat )વિશે વિગતે જાણીએ તો સુરતના ડીંડોલી વિસ્તારમાં, સુરતના વિમલનાથ સોસાયટી નજીક, સુરતના લીંબાયત વિસ્તારમાં, અમદાવાદના બાપુનગરમાં, અમદાવાદના નિકોલમાં, જામનગરના લાલપુર બાયપાસ નજીક, જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી, વડોદરાના બાપોદ ગામે, રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળત, સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર આમ 10 હત્યાના બનાવોની જાણકારી ગુજરાત કોંગ્રેસ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

શું કહ્યું કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે રાજ્યમાં નશા બંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય, બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ, નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને હોય, ત્યારે ભાજપ સરકાર, ગૃહ વિભાગ, પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાતમાં ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.