ETV Bharat / opinion

ભારતના પક્ષપલટા વિરોધી કાયદાની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા, એક વિચક્ષણ સમીક્ષા - India s Anti Defection Law

author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 6:00 AM IST

Updated : May 17, 2024, 12:49 PM IST

ભારતીય રાજકારણમાં પક્ષપલટો એ 'અનિવાર્ય દૂષણ' બની રહ્યું છે. તાજેતરમાં જ 3 અપક્ષ ધારાસભ્યોએ હરિયાણામાં નાયબસિંહ સૈનીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાંથી સમર્થન પરત ખેંચી લીધું હતું અને INC માટે પ્રચાર કરવાનું જાહેર કર્યો હતો. શું પક્ષપલટા કાયદો અને 10મી અનુસૂચિ ભારતીય રાજકારણમાં કારગત નીવડી શકશે? આ વિશે ઋત્વિકા શર્માએ લખેલ અહેવાલ વાંચો વિગતવાર. The Unfortunate Reality of India’s Anti Defection Law

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

હૈદરાબાદઃ ભારતીય રાજકારણમાં હવે પક્ષપલટાથી રાજનેતાઓનું સ્વાભિમાન હણાતું નથી. હવે પક્ષપલટો સામાન્ય બનતો જાય છે. ખાસ કરીને હરિયાણા રાજ્ય પક્ષપલટા માટે બહુ જાણીતું છે. હરિયાણાના રાજકારણમાંથી જ 'આયા રામ, ગયા રામ' કહેવતનો જન્મ થયો છે. લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પક્ષોના ઉમેદવારોની છેલ્લી ઘડીએ નોંધનીય હિલચાલ જોવા મળી હતી.

જ્યારે રાજકીય પક્ષપલટો વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે ત્યારે ભારતનો પક્ષપલટા વિરોધી કાયદો એક મૂક પ્રેક્ષક બની ગયો છે. ભારતના બંધારણની દસમી અનુસૂચિ અંતર્ગત 1985માં સંસદ અને રાજ્યની એસેમ્બલીઓમાં 1960-70ના દાયકામાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા પ્રચંડ ફ્લોર-ક્રોસિંગને રોકવા માટે પક્ષપલટા વિરોધી કાયદો ઘડવામાં આવ્યો હતો. 2002 માં બંધારણની કામગીરીની સમીક્ષા કરવા માટેના રાષ્ટ્રીય આયોગે આ કાયદાને દોષી ઠેરવ્યો હતો કે ભારતમાં પક્ષપલટો વિરોધી કાયદો અમલમાં આવ્યા પછી વધુ સંખ્યામાં પક્ષપલટો જોવા મળ્યો હતો. દસમી સૂચિ આટલી ખરાબ રીતે કેવી રીતે અસર ગુમાવી?

શું છે આ કાયદાની સજા અને છુટછાટ ?

દસમી અનુસૂચિની ઘણી ખામીઓ તેના મુસદ્દાને લીધે હોઈ શકે છે. ખાસ કરીને પક્ષપલટામાંથી પસાર થવા માટે અનેક છટકબારીઓ છે. દસમી સૂચિ એવા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે છે કે જેઓ સ્વેચ્છાએ તેમના પક્ષનું સભ્યપદ છોડી દે છે અથવા જ્યારે તેઓ સંસદ અથવા રાજ્ય વિધાનસભામાં તેમના પક્ષ વિરુદ્ધ મતદાન કરે છે. સ્વતંત્ર સાંસદો/ધારાસભ્યો જો તેમની ચૂંટણી પછી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાય છે તો તેઓ ગૃહમાંથી ગેરલાયક ઠરે છે.

પક્ષપલટા વિરોધી કાયદામાં પણ બે અપવાદો છે. એક રાજકીય પક્ષમાં "વિભાજન" સંબંધિત, અને બીજો બે પક્ષો વચ્ચે "મર્જર". આ કાયદાની આસપાસની સંસદીય ચર્ચાઓ દર્શાવે છે કે આ અપવાદોનો ઉપયોગ ધારાસભ્યો અને તેમના પક્ષો વચ્ચેના વૈચારિક મતભેદો દ્વારા પ્રેરિત પક્ષપલટાના સૈદ્ધાંતિક કિસ્સાઓનું રક્ષણ કરવા માટે કરવામાં આવતો હતો. જ્યારે ઈરાદાઓ ઉમદા હતા, ત્યારે આ અપવાદોનો ઉપયોગ કોઈની પણ સુવિધા માટે ઘણી વાર કરવામાં આવતો હતો. વાસ્તવમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારોને પછાડવા માટે પક્ષપલટાના વારંવાર ઉપયોગને કારણે 2003માં બંધારણમાંથી વિભાજિત અપવાદ કાઢી નાખવામાં આવ્યો હતો.

જો કે, મર્જર અપવાદ ચાલુ રહ્યો છે. દસમી સૂચિના ફકરા 4 હેઠળ તે જોવા મળે છે. મર્જર અપવાદ બે પેટા-ફકરાઓમાં ફેલાયેલો છે. આ બે પેટા-ફકરાઓનું સંયુક્ત વાંચન આદેશ આપે છે કે જો એકસાથે બે શરતો પૂરી થાય તો ધારાસભ્ય ગેરલાયકાતમાંથી મુક્તિનો દાવો કરી શકે છે. પ્રથમ-ધારાસભ્યનો મૂળ રાજકીય પક્ષ અન્ય રાજકીય પક્ષ સાથે ભળી જાય છે અને બીજુ- ધારાસભ્ય એવા જૂથનો ભાગ છે જેના બે તૃતીયાંશ સભ્યો "વિધાનમંડળ પક્ષ" જે વિલીનીકરણ માટે સંમત છે. ધારાસભા પક્ષનો અર્થ એ છે કે એક ચોક્કસ પક્ષ સાથે જોડાયેલા વિધાનસભા ગૃહમાં તમામ ચૂંટાયેલા સભ્યોનું જૂથ.

મર્જર અપવાદ પર એક નજર તેના બિનજરૂરી જટિલ મુસદ્દાને દર્શાવે છે. જે સ્પીકર્સ તેમજ કોર્ટ બંને દ્વારા બહુવિધ અર્થઘટન કરે છે. આ અર્થઘટનને અનેક હાઈકોર્ટ દ્વારા તરફેણ મળી છે. જલદી કોઈ ચોક્કસ ધારાસભ્ય પક્ષ બે તૃતીયાંશ અન્ય ધારાસભ્ય પક્ષ સાથે વિલીનીકરણ કરવા સંમત થાય છે તો બે રાજકીય પક્ષો વચ્ચેનું વિલીનીકરણ થયું હોવાનું માનવામાં આવે છે. આવા અર્થઘટન માટે રાષ્ટ્રીય અથવા પ્રાદેશિક સ્તરે મૂળ રાજકીય પક્ષોના વાસ્તવિક વિલીનીકરણની જરૂર નથી.

મર્જર અપવાદ "જૂથ/બલ્ક ડિફેક્શન"ને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે?

આ દેખીતી રીતે ગૂંચવણભરી કાયદાની રાજકીય પક્ષોની ક્રિયાઓ પર સ્પષ્ટપણે મૂર્ત અસર છે. પક્ષોએ માત્ર ગૃહની અંદર તેમની વિધાનસભાઓ વચ્ચે વિલીનીકરણ બતાવવાની જરૂર છે. આનું એક સુંદર ઉદાહરણ છે જ્યારે 2019માં ગોવા વિધાનસભાના 15માંથી 10 INC ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આને ભાજપ અને INC વિધાનસભા પક્ષો વચ્ચે માન્ય વિલીનીકરણ માનવામાં આવતું હતું. 10 INC ધારાસભ્યોને ગોવા વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગેરલાયકાતમાંથી મુક્તિ આપવામાં આવી હતી જેનો નિર્ણય આખરે બોમ્બે હાઈકોર્ટ (ગોવા બેન્ચ) દ્વારા માન્ય રાખવામાં આવ્યો હતો.

ધારાસભા પક્ષો વચ્ચે નામ માત્રના વિલીનીકરણ સાબિત થવાથી જૂથ પક્ષપલટાને માન્યતા મળી જાય છે. તદ્દન સ્વાભાવિક રીતે વિલીનીકરણ અને વિભાજન એ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ન ઠરાવવાનું મુખ્ય કારણ છે. વિધી સેન્ટર ફોર લીગલ પોલિસી ('વિધિ') એ 1986-2004 વચ્ચે લોકસભાના સ્પીકર્સ સમક્ષ દાખલ કરવામાં આવેલી 55 ગેરલાયકાતની અરજીઓનો સર્વે હાથ ધર્યો હતો. આમાંની 49 અરજીઓના પરિણામે કોઈ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ન હતા, તેમ છતાં તેઓ ફ્લોર ટેસ્ટ પાર કરી ગયા હતા. આમાંથી 77% (49 માંથી 38)માં પક્ષપલટો કરનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ન હતા કારણ કે, તેઓ તેમના મૂળ પક્ષમાં માન્ય વિભાજન અથવા બીજા સાથે વિલીનીકરણ સાબિત કરી શકે છે.

ઉત્તર પ્રદેશમાંથી સમાન ખુલાસાઓ બહાર આવ્યા. વર્ષ 1990-2008 વચ્ચે દાખલ કરાયેલી 69 અરજીઓમાંથી માત્ર 2 જ અયોગ્યતામાં પરિણમી. અયોગ્યતાના 67 કેસોમાં, મર્જર અને વિભાજન 55 વખત (લગભગ 82%) યોગ્ય કારણ તરીકે ઉભરી આવ્યા હતા.

શું પક્ષપલટા વિરોધી કાયદાથી કોઈ ફાયદો થયો છે?

પક્ષપલટા વિરોધી કાયદાને લીધે સ્વતંત્ર સાંસદો / ધારાસભ્યો સહિત રાજનેતાઓને પક્ષપલટાની સજા કરવામાં થોડી સફળતા મળી છે. હરિયાણા એસેમ્બલી સ્પીકર સમક્ષ 1989-2011ની વચ્ચે દાખલ કરાયેલી 39 પિટિશનના વિધીના સર્વેમાં જાણવા મળ્યું હતું કે ગેરલાયક ઠેરવવામાં આવેલા 12 કેસમાંથી 9 અપક્ષ ધારાસભ્યોને ગેરલાયક છે. આમાં 2004માં સ્પીકર સતબીરસિંહ કડિયાન દ્વારા રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાનારા 6 અપક્ષ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મેઘાલય એસેમ્બલી (1988-2009)માંથી સર્વે કરવામાં આવેલી 18 ગેરલાયકાતની અરજીઓમાંથી, 5 સંબંધિત અપક્ષ ધારાસભ્યો કે જેમને સ્પીકર દ્વારા રાજકીય પક્ષમાં જોડાવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 8-9 એપ્રિલ 2009ની વચ્ચે એક પછી એક આવા 3 કિસ્સા બન્યા, જ્યારે અપક્ષ ધારાસભ્યો પોલ લિંગડોહ, ઈસ્માઈલ આર. મારક અને લિમિસન ડી. સંગમા અનુક્રમે INC, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી અને NCPમાં જોડાયા. તે બધાને તત્કાલીન સ્પીકર બિંદો એમ. લાનોંગ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.જેમણે ચૂંટણીઓ પૂરી થયા પછી તેમની પસંદગીના રાજકીય પક્ષોનો પક્ષ લઈને લોકશાહી પ્રણાલીની મજાક ઉડાવવા બદલ સ્વતંત્ર ધારાસભ્યોને પણ ફટકાર લગાવી હતી.

દસમી સૂચિનું ભવિષ્ય શું છે?

સમગ્ર રાજ્યની એસેમ્બલીમાંથી સ્પીકરના નિર્ણયો વિશેનો ડેટા તેમની સત્તાવાર વેબસાઈટ્સ પર સરળતાથી ઉપલબ્ધ નથી (ઓછામાં ઓછું અંગ્રેજીમાં નહીં). જે દસમી સૂચિના વ્યાપક મૂલ્યાંકનને સાચી રીતે દર્શાવતું નથી. તેમ છતાં કહી શકાય કે કાયદાની સફળતાઓની જે ગણતરી કરવામાં આવી છે તે મોટાભાગે બિનકાર્યક્ષમ છે. આ વર્ષની શરૂઆતમાં અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં આ કાયદાની સમીક્ષા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ જરૂરી કામ કરે તેવી આશા રાખવામાં આવી રહી છે. દસમી અનુસૂચિની કામગીરીની વ્યાપક સમીક્ષા અને પક્ષપલટા વિરોધી કાયદાનું ચુસ્ત પાલન જ ભારતની સંસદીય લોકશાહીને આગળ ધપાવી શકે છે.

  1. Haresh Vasava Joined BJP : નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ કર્યો પક્ષપલટો, જાણો શું કહ્યું...
  2. ભાજપ આદિવાસીઓને જ અંધારામાં રાખે છે, પક્ષપલટો કરનારા કાર્યકર્તાનો આક્ષેપ
Last Updated :May 17, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.