ETV Bharat / city

21 ચતુર્થીનું પુણ્ય ફળ આપતી ચતુર્થી એટલે અંગારકી ચતુર્થી, શું છે આ તહેવારનું ધાર્મિક મહત્વ

author img

By

Published : Sep 13, 2022, 5:34 PM IST

21 ચતુર્થીનું પુણ્ય ફળ આપતી ચતુર્થી એટલે અંગારકી ચતુર્થી, શું છે આ તહેવારનું ધાર્મિક મહત્વ
21 ચતુર્થીનું પુણ્ય ફળ આપતી ચતુર્થી એટલે અંગારકી ચતુર્થી, શું છે આ તહેવારનું ધાર્મિક મહત્વ

સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ગણપતિ મહારાજનું સ્થાન મોખરે છે. કાઈપણ પૂજા કે અર્ચના કરવા પહેલા ગણેશ સ્થાપન કરવામાં આવે છે. એવામાં આજના દિવસે ગણપતિ મહારાજના દર્શન પૂજન કરવામાં આવે છે. આ દિવસને અંગારકી ચતુર્થી (Angarki Chaturthi 2022) તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ શું છે અંગારકી ચતુર્થી અને તેનું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં મહત્વ આ અહેવાલમાં.

જૂનાગઢ આજે અંગારકી ચતુર્થીનો તહેવાર (Festival of Angarki Chaturthi) મનાવવામાં આવી રહ્યો છે. આજના દિવસે ગણપતિ મહારાજના દર્શન પૂજન (Ganpati Maharaj Poojan) અને તેના સ્ત્રોતનું પઠન કરવાથી મનવાંછિત ફળ મળતું હોય છે. આવી ધાર્મિક માન્યતા છે. આજના દિવસે ઉપવાસ અને દર્શન કરવાથી 21 ચતુર્થીનું પુણ્યશાળી ફળ પણ મળતું હોય છે. આજે અંગારકી ચતુર્થીના દિવસે ગણેશ મંદિરમાં ભક્તોએ ગણપતિ મહારાજના દર્શન કરીને અંગારકી ચતુર્થીની ઉજવણી કરી છે.

આજના દિવસે ગણપતિ મહારાજના દર્શન પૂજન કરવામાં આવે છે. આ દિવસને અંગારકી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે.

21 ચતુર્થીનું મળે છે પુણ્ય સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં (Eternal Hindu culture) ગણપતિ મહારાજ સાથે જોડાયેલી ચતુર્થીનો ધાર્મિક મહત્વ જોવા મળે છે. વિક્રમ સંવતના વર્ષમાં આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી (Junagadh Angarki Chaturthi) તરીકે સનાતન હિંદુ ધર્મમાં પૂજવામાં આવે છે. આજના દિવસે ગણપતિ મહારાજની પૂજા (Ganapati Maharaj Worship ) કરવાથી વિશેષ અને મનવાંછિત ફળ મળતું હોવાની ધાર્મિક માન્યતા જોડાયેલી છે. તેને લઈને અંગારકી ચતુર્થીનું મહત્વ (Angaraki Chaturthi Significance ) સનાતન હિંદુ ધર્મમાં ખૂબ જોવા મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે ઉપવાસ પૂજા અને ગણપતિ સ્ત્રોતનો પઠન કરવાથી 21 ચતુર્થી કર્યાનું પુણ્ય પણ મળે છે. તેને લઈને અંગારકી ચતુર્થીનું વિશેષ ધાર્મિક મહત્વ સનાતન હિંદુ ધર્મમાં આજે પણ જોવા મળે છે .

વિક્રમ સંવત 2078ની અંતિમ ચતુર્થી વિક્રમ સંવત 2078ની આજે અંતિમ અંગારકી ચતુર્થી છે. પ્રથમ 21 નવેમ્બરના દિવસે બીજી અંગારકી ચોથ 19 એપ્રિલના દિવસે ત્રીજી તેમજ અંતિમ અંગારકી ચતુર્થી 13 સપ્ટેમ્બરના દિવસે આવી રહી છે. સનાતન હિંદુ ધર્મમાં અંગારકી ચોથનું ખૂબ ધાર્મિક મહત્વ (Angaraki Choth Religious Significance) મનાય છે. આજના દિવસે ગણપતિ સ્ત્રોતનું પઠનનું પણ વિશેષ મહત્વ (Ganapati Strotra Significance) છે.

ગણપતિ સ્ત્રોતનું પઠનથી કષ્ટો દૂર થશે પુણ્ય આજના દિવસે ગણપતિ મહારાજની પૂજા દર્શન અને ગણપતિ સ્ત્રોતનું પઠન કરવાથી તમામ કામો પૂર્ણ થાય છે. વધુમાં આજના દિવસે ગણપતિ મહારાજના દર્શન અને પૂજનથી તમામ કષ્ટો દૂર થાય છે. અટકેલા તમામ કાર્યોમાં સિદ્ધિ મળવાની સાથે ધન ધાન્ય અને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવાની ધાર્મિક માન્યતા અંગારકી ચોથના તહેવાર સાથે જોડાયેલી છે.

21, 51 અને 108 ગણપતિ મંત્રનો જાપ આજના દિવસે 21, 51 અને 108 ગણપતિ મંત્રનો જાપ કરવાથી પ્રત્યેક ભક્તને વિશેષ અને પુણ્યશાળી ફળ મળતું હોવાની ધાર્મિક માન્યતા છે. તે મુજબ આજે અંગારકી ચતુર્થીના દિવસે જૂનાગઢના ગણપતિ મંદિરમાં (Ganapati Temple Junagadh) ભાવિ ભક્તો ખૂબ આસ્થા સાથે ગણપતિ મહારાજના દર્શન કરીને અંગારકી ચોથના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.