શું આ વર્ષે દિવાળી પર ગોવર્ધન અને લક્ષ્મી પૂજામાં લાગશે ગ્રહણ, જાણો સૂર્યગ્રહણની સંપૂર્ણ વિગતો

author img

By

Published : Sep 8, 2022, 4:20 PM IST

Updated : Oct 14, 2022, 12:14 PM IST

શું આ વર્ષે દિવાળી પર ગોવર્ધન અને લક્ષ્મી પૂજામાં લાગશે ગ્રહણનો પડછાયો, જાણો સૂર્યગ્રહણની સંપૂર્ણ વિગતો

દિવાળી આ વખતે ઓક્ટોબરમાં આવી રહી છે અને ખાસ વાત એ છે કે, આ વખતે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ છે. હવે આવી સ્થિતિમાં આશંકા ઉભી થઈ રહી છે કે લક્ષ્મી-ગણેશ પૂજા કેવી રીતે થઈ શકશે કારણ કે, ગ્રહણ સાંજે થશે. last Solar eclipse in diwali 2022, Solar Eclipse 2022, Surya Grahan 2022

ન્યુઝ ડેસ્ક: દિવાળીની સાંજે ગ્રહણ થશે (Surya Grahan 2022) અને સુતક દરમિયાન પૂજા કરવી શુભ નથી. આવી સ્થિતિમાં દિવાળીની પૂજા પર અસર થશે કે જ્યોતિષીય ઉપાયો કરીને પૂજા શક્ય બનશે? તમને જણાવી દઈએ કે, વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દિવાળીના દિવસે થશે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે છે અને આ દિવસે રાત્રે ગ્રહણ થશે. સૂતકના કારણે ગ્રહણના લગભગ બે કલાક પહેલા પૂજા થશે. આવી સ્થિતિમાં પૂજાને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. તો આવો જાણીએ આ શંકાનું સમાધાન શું છે.

કાર્તિક અમાવસ્યા અને દિવાળી ક્યારે છે દર વર્ષે દિવાળી કાર્તિક અમાવસ્યા પર આવે છે અને કારતક અમાવસ્યા 24 ઓક્ટોબરના રોજ સાંજે 5:29:35 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 25 ઓક્ટોબરે સાંજે 4:20 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિ અનુસાર દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે જ મનાવવાનો છે. કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી 24મી ઓક્ટોબર 2022ના રોજ સાંજે 5:27 સુધી છે, ત્યારબાદ અમાવસ્યા થશે.

સૂર્યાસ્ત પછી થશે ગ્રહણ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (last Solar eclipse in diwali 2022) 25 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે થવાનું છે. આ આંશિક સૂર્યગ્રહણ હોવાથી અને તે ભારતમાં દેખાશે નહીં, તેથી તે ગોવર્ધન પૂજાને અસર કરશે નહીં કારણ કે, સુતક સમય માન્ય નથી અને ગોવર્ધન પૂજા કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી જે સૂર્યગ્રહણ થાય છે તે બહુ અસરકારક નથી. દિવાળી પર થનારી લક્ષ્મી પૂજા પર પણ તેની કોઈ અસર નહીં થાય.

ગ્રહણ ક્યાં દેખાશે આ ગ્રહણ યુરોપ, ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા, ઉત્તર એટલાન્ટિક મહાસાગર, ઉત્તર હિંદ મહાસાગરમાં દેખાશે. વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ, 2022 શનિવારના રોજ થયું હતું. ભારતમાં આ સૂર્યગ્રહણની કોઈ અસર જોવા નહીં મળે.

સૂર્યગ્રહણમાં સુતકની અસર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આંશિક ગ્રહણમાં સૂતકની કોઈ અસર (Sutak Kaal Effects on Surya Grahan) થતી નથી. કારણ કે, સૂતક ફક્ત તે જ વિસ્તારમાં માન્ય છે જ્યાં ગ્રહણ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સુતક શરૂ થાય છે. આ દરમિયાન પૂજા, ભોજન અને યાત્રા વગેરેથી લઈને અનેક પ્રકારના કામ વર્જિત માનવામાં આવે છે. જો કે, 25 ઓક્ટોબર 2022ના રોજ થનારું સૂર્યગ્રહણ આંશિક હશે.

Last Updated :Oct 14, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.