ETV Bharat / city

ભારત બનશે વિશ્વનો પ્રથમ દેશ, લેવામાં આવ્યો 'ગ્રેટ' નિર્ણય

author img

By

Published : Jul 18, 2022, 2:52 PM IST

આઝાદી અમૃત મહોત્સવને (Azadi Amrit Festival) લઈને ગૃહપ્રધાન અમિતશાહે દેશના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકને લઈને ગુજરાત સરકારે ઘર ઉપર રાષ્ટ્રધ્વજ અને તિરંગો (National Flag Over House) લહેરાવા નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં (15th August 2022) કરોડો લોકો પોતાના ધર પર તિરંગો ફરકાવશે તેવું જાણવા મળી રહ્યું છે.

હર ઘર લહેરાયેગા તિરંગા : આપણો દેશ વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે : ગૃહપ્રધાન અમિતશાહ
હર ઘર લહેરાયેગા તિરંગા : આપણો દેશ વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે : ગૃહપ્રધાન અમિતશાહ

અમદાવાદ : ભારત આ વર્ષે આઝાદી અમૃત મહોત્સવ (Azadi Amrit Festival) તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહે દેશના તમામ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. જેમાં ગુજરાત સરકારે ગુજરાતના દરેક ઘર ઉપર રાષ્ટ્રધ્વજ અને તિરંગો (National Flag Over House) લહેરાવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો વગેરે સાર્વજનિક સ્થળો પર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

જાહેર સ્થળો પરથી રાષ્ટ્રધ્વજની ખરીદી કરી શકાશ - ભારતના ગૃહપ્રધાન અમિતશાહ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ નગરપાલિકા અને ગામડાઓમાં પંચાયત ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 50થી વધારે ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્ર તેમજ ગુર્જરી એમ્પોરિયમ, શોપિંગ મોલ અને બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પરથી પણ રાષ્ટ્રધ્વજની ખરીદી નાગરિકો કરી શકશે. વધુમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષમાં આપણા દેશે માત્ર લોકશાહીના મૂળિયા જ ઊંડા નથી કર્યા. પરંતુ વિકાસના દરેક પાસાઓના સંદર્ભમાં આજે આપણે વિશ્વમાં યોગ્ય સ્થાને ઉભા છીએ.

આઝાદી અમૃત ઉત્સવ યોજવાના ઉદ્દેશો - અમિતશાહે વધુમાં જણાવ્યું હતુ કે, આઝાદી અમૃત ઉત્સવ ઉજવવાનો સંકલ્પ કર્યો છે. તેના ત્રણ ઉદ્દેશ્યો છે. સૌપ્રથમ, દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વિખ્યાત અને અનામી શહીદો વિશે દેશની યુવા પેઢીને તેમના બલિદાન વિશે માહિતગાર કરીને દેશભક્તિનું નિર્માણ કરવું. બીજું 75 વર્ષમાં આપણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને ઘણા ક્ષેત્રોમાં ભારત આજે વિશ્વમાં ટોચના સ્થાને છે. આ વર્ષ તે સિદ્ધિઓને ગૌરવ આપવાનું વર્ષ છે. ત્રીજું આ રિઝોલ્યુશનનું વર્ષ છે. દેશના વડાપ્રધાને સ્વતંત્રતાના અમૃત ઉત્સવથી લઈને સ્વતંત્રતાની શતાબ્દી સુધીના 25 વર્ષના સમયગાળાને અમૃતકાળ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે. દેશના દરેક ક્ષેત્રમાં આઝાદીની શતાબ્દીના અમૃતકાળમાં આપણે ક્યાં ઊભા રહીશું, આ 25 વર્ષ સંકલ્પનો સમય છે.

આ પણ વાંચો : Azadi Ka Amrit Mahotsav: ભારતીય મૂળના બ્રિટિશ મહિલા બે પુત્રો સાથે કરશે ભારતની યાત્રા, દેશના ચાર છેડે લહેરાવશે તિરંગો

કરોડો લોકો તિરંગો ફરકાવશે - ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે દેશ આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. દેશભક્તિ જગાવવા 20 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ દરેક પોતાના ઘરે તિરંગો ફરકાવશે. આ કામ રાજ્ય સરકાર એકલી કરી શકતી નથી. દેશની દરેક જનતાએ કરવાનું છે. આપણો દેશ વિશ્વનો પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. જે દેશની રાષ્ટ્રીય તેની સ્વતંત્રતા કે અન્ય કોઈ દિવસની ઉજવણી માટે ઉજવણી કરી ન હોય. તેથી આ કાર્યક્રમ 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટના (15th August 2022) દિવસ ઉજવવામાં આવશે.

આ પણ વાંચો : ભરૂચમાં પ્રજાસતાક પર્વના દિવસથી 100 ફૂટ ઊંચો તિરંગો કાયમી માટે લહેરાશે

ગુજરાતમાં 1 કરોડથી વધુ મકાનો પર તિરંગો - ગુજરાતના મુખ્યપ્રધાને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત એક કરોડ ઘર ઉપર રાષ્ટ્રધ્વજ- તિરંગો લહેરાવવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં 50 લાખ ઘર અને શહેરી વિસ્તારમાં 50 લાખ ઘર એમ કુલ મળીને 1 કરોડથી (Govt Decision Regarding National Flag) વધુ ઘરો પર ત્રિરંગો લહેરાશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સ્કૂલ, કોલેજ, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાનો વગેરે સાર્વજનિક સ્થળો પર અઢી લાખની સંખ્યામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.