ETV Bharat / state

Azadi Ka Amrit Mahotsav: ભારતીય મૂળના બ્રિટિશ મહિલા બે પુત્રો સાથે કરશે ભારતની યાત્રા, દેશના ચાર છેડે લહેરાવશે તિરંગો

author img

By

Published : Apr 9, 2022, 7:19 PM IST

સુરતમાં રહેતાં ખ્યાતનામ મહિલા સાહસિક ભારૂલતા પટેલ-કાંબલે રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને તેઓ આઝાદી કા અમૃત્ત મહોત્સવની અનોખી (Azadi Ka Amrit Mahotsav)ઉજવણી કરવાના આશયથી ભારતમાં 65,000 કિમીની કાર દ્વારા યાત્રા કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે. તેમજ વિવિધ રાજ્યોના નાગરિકોમાં કેન્સર અને ટીબી પ્રત્યે જનજાગૃતિ(Awareness of cancer and TB)ફેલાવશે.

Azadi Ka Amrit Mahotsav: સુરતની મહિલા બે પુત્રો સાથે કરશે ભારતની કાર યાત્રા, ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે
Azadi Ka Amrit Mahotsav: સુરતની મહિલા બે પુત્રો સાથે કરશે ભારતની કાર યાત્રા, ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે

સુરત: ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અને હાલ સુરતમાં રહેતાં ખ્યાતનામ મહિલા સાહસિક ભારૂલતા પટેલ-કાંબલે 'મિશન ભારત' પ્રોજેક્ટ હેઠળ પોતાના બે બાળકો સાથે કાર ડ્રાઈવ કરી 'આઝાદીના અમૃત્ત મહોત્સવ' (Azadi Ka Amrit Mahotsav)અંતર્ગત સમગ્ર ભારતમાં 65,000 કિમીની યાત્રા કરશે, અને ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે. તા.15 મી ઓગસ્ટ 2022 ના રોજ સિયાચીન પહોંચી તિરંગો લહેરાવશે.

ભારતના ચાર છેડે તિરંગો લહેરાવશે

સાડા ચાર મહિના સતત કાર ડ્રાઈવિંગ - આ અભિયાનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે. તેમના 'ટીમ મમ એન્ડ ટુ કિડસ' (Team Mum and Two Kids )ડ્રાઈવિંગ મિશન હેઠળ (Car travel to India )સાડા ચાર મહિના સતત કાર ડ્રાઈવિંગ કરશે અને દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને કેન્સર તેમજ ટીબી સામે જનજાગૃતિ ફેલાવશે. અભિયાન પૂર્ણ થયાં બાદ તેઓ કાર ડ્રાઈવિંગના આ મોટા પડકારને પૂર્ણ કરનાર (Awareness of cancer and TB)માતા અને બે બાળકોની પ્રથમ ટીમ બનશે.

આ પણ વાંચોઃ Azhadi ka Amrut Mahotsav : જૂનાગઢમાં ફિરોઝ ઇરાનીએ યાદ કર્યાં 'નોખા નાગર નરસૈયાં'ને, જાણો શું કહ્યું

કેન્સર અને ટીબી પ્રત્યે જનજાગૃતિ - ભારૂલતા પટેલ-કાંબલે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક (British citizen of Indian descent)છે, અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમથી ખેંચાઈને બ્રિટન છોડી સુરતના વેસુ ખાતે પતિ અને બે પુત્ર સાથે નિવાસ કરી રહ્યાં છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને તેઓ સ્વતંત્ર ભારતના 75 વર્ષની પૂર્ણતાના અવસરે આઝાદી કા અમૃત્ત મહોત્સવની અનોખી ઉજવણી કરવાના આશયથી સમગ્ર ભારતમાં 65,000 કિમીની કાર દ્વારા યાત્રા કરી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપશે, સાથોસાથ વિવિધ રાજ્યોના નાગરિકોમાં કેન્સર અને ટીબી પ્રત્યે જનજાગૃતિ ફેલાવશે.

ભારૂલતા પટેલ-કાંબલે યુકેમાંથી બેરિસ્ટરની પદવીપ્રાપ્ત - ભારૂલતા પટેલ-કાંબલે કેન્સર પીડિત રહી ચૂક્યા છે. લોકો કેન્સરને ફર્સ્ટ સ્ટેજમાં ઓળખી શકે એ માટે તેઓ જાગરૂકતા લાવવા પ્રયાસ કરી રહ્યા છે. સુશિક્ષિત અને મહિલાશક્તિની મિસાલ એવા ભારૂલતા પટેલ-કાંબલે યુકેમાંથી બેરિસ્ટરની પદવીપ્રાપ્ત છે, અને ઓટોમોબાઈલ એક્સપેડિટર તરીકે વિશ્વવિખ્યાત છે. તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઘણાં ડ્રાઈવિંગ અભિયાનો હાથ ધરીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે આ વખતે ભારતમાં તેમના બે બાળકો સાથે વધુ એક પડકારજનક અભિયાન શરૂ કર્યું છે. ભારતના ચારેય છેડે પહોંચીને આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો સંકલ્પ લીધો છે. બન્ને પુત્ર બ્રિટિશના નાગરિક છે. પુત્રો માતૃભૂમિ અંગે જાણકારી માટે આ માટે પ્રયાસ છે.
આ પણ વાંચોઃ BJP Bike Rally In Gujarat: ભાજપ યુવા મોરચાની બાઇક રેલીથી ગુજરાતની અડધો અડધ વિધાનસભા સીટો સાધશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.