સુરેન્દ્રનગરમાં 74મા આઝાદી પર્વની ઉજવણી, પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ તિરંગો લહેરાવ્યો

By

Published : Aug 15, 2020, 7:30 PM IST

thumbnail

સુરેન્દ્રનગરઃ શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 74મા આઝાદી પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ ધ્વજવંદન કરી સલામી આપી હતી. સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર કે.રાજેશ, DSP મહેન્દ્ર બગડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારી દરમિયાન સતત ફરજ બજાવનારા અંદાજે 30થી વધુ કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.