ETV Bharat / city

Gram Panchayat Election Repolling 2021 : 5 ગ્રામ્ય વિસ્તારોમાં પુન: મતદાન, આવતીકાલે મતગણતરી

author img

By

Published : Dec 20, 2021, 1:33 PM IST

Updated : Dec 20, 2021, 6:46 PM IST

Gram Panchayat Election Repolling 2021
Gram Panchayat Election Repolling 2021

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી 2021માં (Gram Panchayat election Gujrat 2021) કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઉમેદવારીપત્ર અથવા તો ઉમેદવારોના નામ પ્રતીક છાપકામમાં ખામી હોવાના કારણે પુન: મતદાન (Gram Panchayat Election Repolling 2021) યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) બાદમાં તારીખ જાહેર કરશે.

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gram Panchayat election Gujrat 2021)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ડિસેમ્બરના રોજથી 8684 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સવારના સાત વાગ્યાથી સાંજના 6 કલાક સુધી ચાલી હતી. જેમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન નોંધાયું છે. પરંતુ 5 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ઉમેદવારીપત્ર અથવા તો ઉમેદવારોના નામ, પ્રતીક છાપકામમાં ખામી હોવાના કારણે જિલ્લાના પાંચ ગ્રામ્ય પંચાયતમાં ફરીથી ચૂંટણીનું આયોજન (Gram Panchayat Election Repolling 2021)કરવામાં આવ્યું છે.

21 ડિસેમ્બરે યોજાશે મતગણતરી

19 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ મતપેટીઓને એક જ ગ્રૂપમાં પોલીસની નજર અને સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહી છે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે પુનઃમતદાનના કિસ્સાઓમાં 20 ડિસેમ્બરના રોજ પુન: મતદાન પણ યોજાઈ રહ્યું છે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરી (gram panchayat election vote counting) હાથ ધરવામાં આવશે અને 24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Election 2021: રાજ્યમાં સરેરાશ 62 ટકા મતદાન, આવતીકાલે મત ગણતરી

કઈ જગ્યાએ થઈ રહ્યું છે પૂન: મતદાન

તાલુકો ગ્રામ પંચાયત

મોરવા હડફ વિરણીયા

મોરવા હડફ દેલોચ

બગસરા હડાલા

અમરેલી સરભંડા

પોરબંદર રિણાવાડા

21 ડિસેમ્બરના રોજ યોજાશે મતગણતરી

19 ડીસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ મતદાન પેટીઓને પોલીસની નજર અને સુરક્ષા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. હવે 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 24 ડીસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગ્રામ પંચાયતની ચૂંટણીને રાજકારણ સાથે ન જોડવી જોઈએ: નીતિન પટેલ

સરપંચ પદના ઉમેદવારનું અવસાન

રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો પ્રમાણે છૂટાછવાયા બનાવોને બાદ કરતાં મતદાન (Gram Panchayat election Gujrat 2021)એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. જ્યારે ઉમેદવારની પત્રોની ચકાસણી પછી 19 ડિસેમ્બરના રોજ મતદાન શરુૃ થાય તે પહેલાં જ ગ્રામ્ય પંચાયતના સરપંચની બેઠક માટેના હરીફ ઉમેદવારનું અવસાન થવાના ચાર કિસ્સા અને ગ્રામ્ય પંચાયતના વોર્ડની બેઠકના હરીફ ઉમેદવારનું અવસાન થયાના 11 બેઠકોના કિસ્સા સામે આવ્યા છે. જેથી ચૂંટણી રદ કરવામાં આવી હતી. જ્યારે આ બેઠક પરની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 20 ડીસેમ્બરે ચૂંટણી જાહેર (Gram Panchayat Election Repolling 2021) કરવામાં આવી છે અને તેમાં પુનઃમતદાન યોજાઇ રહ્યું છે.

ચૂંટણી પંચની કામગીરી

રાજ્ય ચૂંટણી આયોગના નોટિફિકેશન પ્રમાણે 17 ડિસેમ્બર સાંજના 6:00થી સંપૂર્ણ આચારસંહિતા (code of conduct for gram panchayat election 2021) લાગુ કરી દેવામાં આવી હતી. 19 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી., જેમાં 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત 27,000થી વધુ મતદાન મથકો ઉપર 37,429 મતપેટીઓ મુકવામાં આવી હતી. નોંધપાત્ર છે કે ગ્રામ્ય વિસ્તારોનું ઇલેક્શન બેલેટ પેપર (gram panchayat election ballot paper)થી કરવામાં આવ્યું હતું. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ આવી હતી. જ્યારે સમગ્ર રાજ્યમાં સરેરાશ (Total voting of Panchayat Election 2021) મતદાન નોંધાયું છે મતદાનની 62 ટકાવારી સામે આવી હતી.

Last Updated :Dec 20, 2021, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.