ETV Bharat / city

Gujarat Congress Spokesperson Resign: કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું રાજીનામું, ફેસબુક પર શેર કરી પોસ્ટ

author img

By

Published : Feb 16, 2022, 2:39 PM IST

Updated : Feb 17, 2022, 11:32 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પક્ષમાંથી રાજીનામું (Congress's Jayaraj Singh Parmar resigns) આપ્યું છે. તેમણે આ અંગે એક ફેસબુક પર પોસ્ટ લખીને કોંગ્રેસ હાઈકમાન્ડ (Jayaraj Singh Parmar attack on Congress) પર પ્રહાર (Congress's Jayaraj Singh Parmar resigns) કરી રાજીનામું આપ્યું છે.

Gujarat Congress Spokesperson Resign
Gujarat Congress Spokesperson Resign

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસથી નારાજ મુખ્ય પ્રવક્તા જયરાજસિંહ પરમારે (Jayarajsinh Parmar annoyed with Congress) રાજીનામું આપ્યું છે. તેમણે ફેસબુક પર પોસ્ટ લખીને કોંગ્રેસની ખામીઓ સાથે રાજીનામું ધર્યું છે.

જયરાજસિંહ પરમારનો કોંગ્રેસને ટોણો

જયરાજસિંહ પરમારે આ અગાઉ પણ ટ્વિટ કરી (Jayrajsinh Parmar tweet on Resignation ) કોંગ્રેસને ટોણો પણ (Jayaraj Singh Parmar attack on Congress) માર્યો હતો. બીજી તરફ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં વિકેટ પડવાની શરૂઆત (Congress's Jayaraj Singh Parmar resigns) થઈ ગઈ છે.

જયરાજસિંહ અગાઉ અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે એક ટ્વીટ એવું કર્યું કે, ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, અગાઉ જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે તેમના આ સૂચક ટ્વીટથી અનેક વાતો વહેતી થઈ છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, તેઓ આવતીકાલે કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યારબાદ કોંગ્રેસમાંથી વિધિવત રીતે રાજીનામું (Congress's Jayaraj Singh Parmar resigns) આપી શકે છે.

આ પણ વાંચો- Surat AAP Corporators Resign: ‘આપ’ના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાતા, ગોપાલ ઇટાલીયાએ આપી આ પ્રતિક્રિયા...

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિખવાદ ચરમસીમાએ

એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ટપોપટ રાજીનામા પડી રહ્યા છે. કોંગ્રેસમાં પણ આંતરિખ વિખવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે જયરાજસિંહે એક ટ્વિટ કરતા (Jayrajsinh Parmar tweet on Resignation) રાજકારણ ફરી ગરમાયું છે.

આ પણ વાંચો- Asit vora resign: પેપરલીક કાંડ પછી GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ

જયરાજસિંહ ધારણ કરી શકે છે ભાજપનો ભગવો

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, જયરાજસિંહ પરમાર આવતીકાલે કાર્યકરોને સંબોધતો પત્ર લખશે. કાર્યકર જોગ પત્ર લખ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું (Congress's Jayaraj Singh Parmar resigns) આપશે. જયરાજસિંહ પરમાર રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે..જયરાજસિંહ પરમારની કોંગ્રેસમાંથી વિદાયથી પક્ષને ચોક્કસપણે મોટો ફટકો પડી શકે છે.

જયરાજ સિંહ પરમારે ટ્વિટમાં લખ્યું...

  • आज मेहसाणा राजपद से माँ बहुचर का आशीर्वाद से…शुरुआत बहुचराज़ी से….

    किसको फिक्र है कि "कबीले"का क्या होगा..!
    सब इसी बात पर लड़ते है कि "सरदार" कौन होगा..!!

    — Jayrajsinh Parmar (@JayrajKuvar) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારે આજે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આજે મહેસાણા રાજપદથી માતા બહુચરના આશીર્વાદથી. શરૂઆત બહુચરાજીથી. કોને ફિકર છે કે, 'કબીલા'નું શું થશે? બધા એ જ વાત પર લડે છે કે 'સરદાર' કોણ હશે".

કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ રહ્યો છેઃ જયરાજસિંહ

  • કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
    કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????

    — Jayrajsinh Parmar (@JayrajKuvar) January 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જયરાજસિંહ પરમારે અગાઉ પણ પક્ષ પ્રત્યે દર્શાવેલી નારાજગીમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી. પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે? તે સમયે તેમના આ ટ્વીટને કોંગ્રેસના નેતા મનહર પટેલે પણ સમર્થન આપ્યું હતું.

મનહર પટેલે જયરાજસિંહ પરમારને આપ્યું સમર્થન

  • મને ભયંકર ડર લાગી રહ્યો કે કઇ એવુ ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય .બોટાદની જીલ્લા પંચાયતની ચુંટણીમા તમામ ફોમઁ રદ થયા કોણ જવાબદાર ? તેમ છતા પક્ષમા કોઇ ગંભીર ચચાઁ જ નહી કોઇ ચિંતન નહી, માનનીય પ્રમુખશ્રી/ પ્રભારી સહીતને કાગળ પર ધ્યાન દોયુઁ છે... https://t.co/QnsWljUWjD

    — Manhar Patel (@inc_manharpatel) January 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મનહર પટેલે પણ (Manhar Patel supports Jayrajsinh Parma) ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને ભયંકર ડર લાગી રહ્યો છે કે કઈ એવું ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય. બોટાદની જીલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ ફોર્મ રદ થયા કોણ જવાબદાર? તેમ છતાં પક્ષમાં કોઈ ગંભીર ચર્ચા જ નહીં કોઈ ચિંતન નહી. માનનીય પ્રમુખ-પ્રભારી સહિતને કાગળ પર ધ્યાન દોર્યું છે.

કોંગ્રેસ કાર્યાલય ફરી સૂમસામ

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવક્તા પદ રહેનારા અને દિગગજ નેતા જયરાજસિંહ પરમારના એક ટ્વિટથી (Jayrajsinh Parmar tweet on Resignation) રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ETV Bharat સતત જયરાજસિંહ પરમારનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેઓ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને બેઠા છે. બીજી તરફ તેમની નજીક રહેલા તેમના વિશ્વાસુ વ્યક્તિઓ પણ હાલ કઈ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોંગ્રેસ કાર્યાલય પણ સન્નાટો છવાઈ ગયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ પણ હાલ બંધ બારણે બેઠક કરી રહ્યા છે.

Last Updated :Feb 17, 2022, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.