ગુજરાત

gujarat

આવાસની સાઈટ પર ગેરકાયદેસર મકાન તોડી પાડતું તંત્ર, આખરે મેદાન સાફ

By

Published : Jan 3, 2023, 4:13 PM IST

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગેરકાયદેસર મકાન બાધંકામને (illegal construction demolishes in Vadodara) તોડી પાડવામાં આવ્યું છે. બાંધકામને તોડી પડાતા પૂર્વ રાજ્યપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને તેમના પીએ દ્વારા પૈસા લઈને જમીન અપાઈ હોવાનું મકાન માલિક કહી રહ્યો હતો. તો કેયુર રોકડીયાએ કહ્યું કે, રહીશને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવશે. (Vadodara Municipal Corporation)

વડોદરા પાલિકાએ સપાટો બોલાવ્યો, આવાસની સાઈટ પર ગેરકાયદેસર મકાન તોડી પાડ્યા
વડોદરા પાલિકાએ સપાટો બોલાવ્યો, આવાસની સાઈટ પર ગેરકાયદેસર મકાન તોડી પાડ્યા

વડોદરામાં ગેરકાયદેસર દબાણો દુર કરાયા

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે, PPP મોડેલ હેઠળ શહેરના વાઘોડિયા રોડ પર ચાર વર્ષ અગાઉ ઊભી કરવાની હતી. તેમાં બાંધકામ સ્થળે બે પાકા ગેરકાયદેસર મકાન બંધાઈ (illegal construction demolishes in Vadodara) જવાના કારણે વિવાદ ઊભો થયો હતો અને યોજનાનું કામ અટકી પડ્યું હતું. જેને લઇ આજે દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.(Vadodara Municipal Corporation)

ગેરકાયદેસર દબાણપર સપાટો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ આજે શહેરના કલાદર્શન વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બંને મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. ટીપી 3 ફાઈનલ પ્લોટ 766માં (Illegal building demolished in Kaladarshan) ગેરકાયદેસર મકાન બાંધવામાં આવ્યું હતું. જે લગભગ 2000 સ્કવેર ફૂટ પાલિકાની જગ્યામાં મકાન બાંધવામાં આવ્યું હતું. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ જેસીબી મશીન સહિત પોલીસના બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. ત્યારે વડોદરાના મેયર પણ ત્યાં પહોંચી ગયા હતા અને આ ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. (Illegal pressure in Vadodara)

આ પણ વાંચોડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર ફર્યુ બુલ્ડોઝર

પૂર્વ પ્રધાન પર આક્ષેપોમકાન માલિક ભાવેશ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં હું રહુ છે અને મને આ મકાન બનાવવામાં (pradhan mantri awas Yojna) ઘણી મહેનત લાગી છે. આ જગ્યા મેં બીજા જોડેથી ખરીદી છે અને જ્યાં 20 વર્ષથી હું રહુ છું. તે જગ્યા પૂર્વ રાજ્યપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને તેમના પીએ દ્વારા પૈસા લઈ અપાઈ હોવાનું આ મકાન મલિક કહી રહ્યો છે. આજે એટલો સમય વીત્યો છતાં કોઈ દબાણ નોહતું અને હવે દબાણ છે. આસપાસ કેટલીક બિલ્ડીંગ આવેલી છે તે ગેરકાયદેસર છે તે કેમ તોડાતી નથી. આ સાથે ઉગ્ર વિરોધ છતાં આ મકાન ધરાવતા મકાન ઘારકનું મકાન પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. (VMC broke concrete building)

આ પણ વાંચોETV Bharatના અહેવાલના પગલે તંત્ર જાગ્યું, કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ તોડી પડાયો

મકાન તોડી પડાયેલને આવાસમાં મકાન ફળવાશેઆ અંગે માહિતી આપતા મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, વાઘોડિયા રોડ પર કલાદર્શન, ચાર રસ્તાથી આગળ, બીએપીએસ સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્લોટ પર 9000 ચોરસ ફૂટ વિસ્તારમાં બે પાકા ગેરકાયદેસર મકાન બાંધી દેવામાં આવ્યા હતા. જેના કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી અટકી પડી હતી. અહીં લોક ભાગીદારીથી 394 મકાનો બાંધવાના છે. જેમાં થોડું ઘણું બાંધકામ થયું છે, પરંતુ આ બે ગેરકાયદેસર મકાનના કારણે કામગીરી અટકી પડી હતી. કોર્પોરેશન દ્વારા આજે સવારે આ બંને મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. જેને કારણે હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીનું બાકી રહેલું કામ ઝડપભેર આગળ વધી શકશે. જોકે કોર્પોરેશન એ આ કામગીરી હાથ ધરી ત્યારે તોડફોડ સામે વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર એ કોઈ મચક આપી ન હતી. જે બે મકાન તોડી પાડવામાં આવ્યા છે તેમના રહીશને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવશે. (Pradhan Mantri Awas Yojana in Vadodara)

ABOUT THE AUTHOR

...view details