ગુજરાત

gujarat

Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો

By

Published : Feb 27, 2023, 12:01 PM IST

Updated : Feb 27, 2023, 5:42 PM IST

વડોદરા શહેરના દરજીપૂરા ફાયર બ્રિગેડ સ્ટેશન વિસ્તારમાં ભંગારનો વેપાર કરતા બે વેપારીને બેટરી ચોરીની શંકામાં અપહરણ કર્યા બાદ ઢોર માર માર્યો હતો. આ કેસમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે પોલીસે આ કેસમાં ચાર શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.

Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો
Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો

Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો

વડોદરા:વડોદરાશહેરના દરજીપૂરા એરફોર્સ સ્ટેશન વિસ્તાર નજીક ભંગારનો વેપાર કરતાં બે યુવકોનું 4 શખ્સોએ અપહરણ કરી લીધુ હતુ. આ બેટરી ચોરીના મામલે અપહરણ કરી તેઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ બંનેને સામ-સામે મરચા ખવડાવ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બચી ગયેલા યુવકને વાપી નજીક ગાડીમાં લઈ જઈ મુક્ત કરી દીધો હતો. મૃતકનો મૃતદેહ હાલોલ પાસેથી મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે હરણી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી હત્યારા ઇસમોને ઝળપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો

આ પણ વાંચોઃ Mandya Murder Case: કર્ણાટકમાં 'શ્રદ્ધા' જેવો મર્ડર કેસ, લાશના ટુકડાઓ કરી અલગ-અલગ જગ્યાએ ફેંક્યા

ભંગારનો વેપાર કરતા સાડા બનેવીને માર મરવાનો મામલો :સમગ્ર મામલે હરણી પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મળે મારવાડી સમાજના લોકો મોટી સંખ્યામાં હરણી પોલીસ મથકમાં આવી પોહચ્યા હતા. આ તમામ લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે, હત્યારાઓને જલ્દી ઝડપી પાડવામાં આવે. જ્યાં સુધી આ આરોપીઓને ઝાડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ માથક અગાળ જ બેસેલા રહીશું. આ સમગ્ર મામલે હાલમાં હરણી પોલીસ દ્વારા હત્યા કરેલ મૃતદેહ જ્યાં ફેંક્યો હતો ત્યાં હરણી પોલોસ હાલોલ ખાતે એફએસએલની મદદથી સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ સમાજના લોકોની માંગણી છે કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી પોલીસ મથક આગળ ધરણા પર બેસેલા રહીશું. આ સાથે આરીપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરી હતી.

Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો

ફરિયાદીની વાતઃ આ અંગે બચી ગયેલ કૈલાશનાથ યોગીએ એસેસજી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ છે. તેઓ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર તેમણે કહ્યું કે, હું તથા મારા બનેવી રાજુનાથ યોગી બંને ભંગારની દુકાન ચલાવીએ છીએ. ગત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ ભંગારની દુકાને હતા. બપોરે 12 વાગ્યાના સમયે બે અજાણા છોકરાઓ મોટરસાયકલ ઉપર બે વાહનની બેટરી લઈને આવ્યા હતા. તુરંત તેઓની પાછળ જ ફોરવિલર ફોરચુનર ગાડી આવી હતી. આ ગાડીમાં ચાર ઈસમો હતા. જેમાંથી એક રાજુ ભરવાડ અને બેચર ભરવાડ ને હું જાણતો હતો. સાથે જ અન્ય બે ઈસમો પણ આ ગાડીમાં બેઠેલા જોવા મળ્યા હતા.

Kidnapping And Murder Cases: બેટરીની ચોરીની આશંકામાં અપહરણ કર્યું, પરિવારજનોને મૃતદેહ મળ્યો

અપહરણ કરી લેવાયુંઃઆ દરમ્યાન રાજુ ભરવાડે કહ્યું કે, આ અમારી ગાડીની બેટરી ચોરી લે છે. મને તથા મારા બનેવીને બે ઈસમો દ્વારા ગાડીમાં બેસાડ્યા અને બે ઈસમોએ બેટરી લઈને આવેલ છોકરાઓને પકડી રાખ્યા હતા. મને અને મારા બનેવીને આજવા નિમેટા પાસે આવેલા વેરાઈ માતાના મંદિરથી અંદર અજ્ઞાત ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. દરમિયાન રાજુ ભરવાડ અને બેચાર ભરવાડ દ્વારા અમો બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Nikki Yadav Murder Case : સાહિલના લગ્નના વીડિયોથી ખુલશે નિક્કીની હત્યાનું રહસ્ય

ઢોર માર માર્યોઃ એક કલાક બાદ અન્ય બે ઈસમો બેટરી લઈને આવેલ છોકરાઓને પણ ત્યાં લાવ્યા હતા અને તેઓને પણ પીવીસી પાઇપ વડે મારા મારી છોડી મુક્યા હતા. બંનેને થોડી થોડી વારે પીવીસી પાઇપથી માર મારતા રહ્યા હતા. આ સાથે જ તીખું લીલું મરચું સામસામે ખવડાવવા બળજબરી કરતા હતા. પાંચથી સાત મરચા બળજબરીપૂર્વક ખવડાવ્યા હતા. ત્યારબાદ મારા બનેવીને સખત પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. અમે આજીજી કરી પરંતુ છોડ્યા નહોતા.

જાનથી મારવાની ધમકી:સાંજના છ વાગ્યાના સમયે મારા બનેવીની તબિયત ખુબ જ બગડી હોવાથી રાજુ ભરવાડ અને બેચાર ભરવાડ બંને મારા બનેવીને દવાખાને લઈ જઈએ છીએ. તેવું કહ્યું હતું અને એક મોટી ફોરવિલર ગાડીમાં લઈ ગયા હતા. આ દરમિયાન તેઓ બેભાન હતા. બાદમાં મને બે અજાણ્યા ઈસમો દ્વારા સ્વીફ્ટ ગાડીમાં ફાર્મ હાઉસ થી આજવા ચોકડી ખાતે લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Silvassa Murder Case: સેલવાસમાં યુવતીની 15 જેટલા ચાકુના ઘા મારી હત્યા, માતાની ભૂલ

આવો પ્લાનઃ તે બનેવી પાસે જઈશું તેવું કહી ગાડીમાં બેસાડી રાખ્યા હતા. આજવા ચોકડી થી ખોડીયાર નગર મને આંટાફેરા કરાવ્યા હતા. દોઢ બાદ હાઇવે રોડ પર બ્રિજની બાજુમાં ગાડી ઉભી રાખી હતી. થોડીવારમાં મારા બનેવીને લઈ જનાર રાજુ ભરવાડ અને બેચર ભરવાડ બંને ત્યાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ મને સ્વીફ્ટ ગાડીમાં બેસાડીને રાજુ ભરવાડ અને બેચર ભરવાડ વડોદરા હાઇવે બ્રિજ પાસેથી વાપી થી 8 કિલોમીટર પહેલા ટોલનાકા પાસે તારીખ 25ની વહેલી સવારે ચાર વાગ્યે ત્યાં ઉતારી દીધો હતો.

પાકિટ લઈ લીધુંઃ પાકીટ પરત ન આપી રાજુ ભરવાડે 1300 રૂપિયા આપી મુંબઈ જવા કહ્યું હતું. કોઈને કઈ કહેતો નહીં નહીંતર તને તથા તારા પરિવારને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. હું ટોલનાકાના એક કર્મચારીની મદદથી સુરત જતી બસમાં બેસ્યો હતો અને ઉના ગામ મારા મિત્ર પાસે જઈ તમામ બાબતે જાણ કરી તેઓએ મારા ભાઈ તથા મારા પરિવારને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ Boyfriend Killed Girlfriend: કોરબામાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી

હકીકત આવી હતીઃ મૃતકના પરિવારજન સમુદ્રનાથ યોગીના જણાવ્યા અનુસાર વડોદરા શહેર નજીક આવેલ ગોલ્ડન ચોકડી પાસે ભંગારનો વેપાર કરતા સાળા-બનેવી એવા કૈલાશનાથ અને રાજુનાથને ત્યાં કોઈ જૂની બેટરી વેચી ગયું હતું. માલધારી શખ્સો કે જેઓ આ વ્યક્તિનું અપહરણ કરી ગયા હતા. એમને એવી શંકા હતી કે, તેણે બેટરી ચોરી લીધી છે. ચારથી પાંચ માલધારીઓ ભંગારળાની દુકાને આવ્યા પણ હતા. રાજુનાથનો મૃતદેહ હાલોલ પાસેથ ફેંકી દેવામાં આવ્યો હતો. અપહરણ કરી લઈ ગયા બાદ તેમને એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા અને બંનેને સામસામે બેસાડી તીખા મરચા ખવડાવ્યા હતા. ત્યારબાદ બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

હરણી પી આઈ એસ વી વેકારીયાએ જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે તપાસ ચાલુ છે. અને આ પ્રવૃત્તિ કારનાર ઇસમોને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે.

Last Updated : Feb 27, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details