નવસારીઃવ્યાજના ખપ્પરમાં જે પડે એની જીંદગી દોજખ બની (illegal money laundering) જતી હોય છે. મરોલીનો મુળ રાજસ્થાની પરિવારે ઘર બનાવવા 2 ટકા વ્યાજે લીધેલા રૂપિયા 8 લાખના 11.10 લાખ ચૂકવ્યા હતા. છતાં વ્યાજખોરો ત્રાસ આપી રહ્યા હતા. રૂપિયા 4 લાખ માટે પઠાણી ઉઘરાણી કરતા મરોલીના વ્યાજખોર મનોજ અગ્રવાલ સામે પીડિત જીજ્ઞેશ સોનીએ (Prevention of Money Laundering Act 2002) ફરિયાદ કરી છે. જે મામલે પોલીસના (Navsari police illegal money laundering Case) દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના મરોલી મહૂવર ગામે મોહનલાલ કિરાણા સ્ટોર ચલાવતા સ્વ. મોહનલાલ સોનીએ ઘર બનાવવા માટે મરોલીનાં જ મનોજ ગિરધારીલાલ અગ્રવાલ પાસે 2 ટકા વ્યાજે 8 લાખ રૂપિયા લીધા હતા.
આ પણ વાંચોઃરસ્તા પર રખડતા ઢોર બાખડતા રાહદારીઓના શ્વાસ અધ્ધર
વ્યાજ ભરતા હતાઃમહિને 16 હજાર રૂપિયાનું વ્યાજ ચૂક્તે કરતા મોહનલાલ 5 થી 6 વર્ષ સુધી વ્યાજના રૂપિયા ભરી 9.60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મનોજ અગ્રવાલે તેમના ઉપર વ્યાજ સાથે મુદ્દલ રકમ માટે દબાણ કર્યું હતું. જેથી મોહનલાલે પોતના ઘર ઉપર (Threat of illegal money laundering) લોન લઈ મનોજને દોઢ લાખ રૂપિયા ચેકથી આપતા કુલ રુપિયા 11.10 લાખ મનોજને આપી દીધા હતા. વ્યાજ માટે સતત દબાણ કારણે મોહનલાલ માનસિક રીતે ભાંગી પાડ્યો હતો. એ જ ચિંતામાં તેનું અવસાન થયુ હતું. જેથી મનોજે થોડો સમય શાંત રહ્યો હતો, પણ ફરી સ્વ. મોહનલાલની પત્નીને તેના બાકીના 4 લાખ રૂપિયા વ્યાજ (Gujarat Total Debt) સાથે ચૂકવી આપવા દબાણ કરવા લાગ્યો હતો.