ગુજરાત

gujarat

vaccine booth close: જૂનાગઢમાં રેડ ક્રોસમાં રસીકરણ બુથ બંધ કરાતાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરનો વિરોધ

By

Published : Jan 6, 2022, 7:42 PM IST

જૂનાગઢ રસીકરણ સેન્ટરનુ એક બુથ રેડ ક્રોસમાં શરૂ કરવામાં આવ્યું હતું. પાછલા નવ મહિના કરતાં વધુ સમયથી કોરોના રસી લોકોને આપવામાં આવતી હતી. ત્યારે અચાનક જૂનાગઢ મનપાના સત્તાધીશોએ (Junagadh Municipal Corporation)આ રસીકરણ બુથને બંધ કરીને (Vaccination of Junagadh corona)કોર્પોરેશન કચેરીમાં લઈ જવામા આવ્યું છે. જેનો વિરોધ ભાજપના સ્થાનિક કોર્પોરેટર કરી રહ્યા છે અને ફરીથી રસીકરણ બુથ રેડક્રોસમાં શરૂ કરવામાં(vaccine booth close) આવે તેવી માંગ કરી છે.

vaccine booth close: જૂનાગઢમાં રેડ ક્રોસમાં રસીકરણ બુથ બંધ કરાતાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરનો વિરોધ
vaccine booth close: જૂનાગઢમાં રેડ ક્રોસમાં રસીકરણ બુથ બંધ કરાતાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરનો વિરોધ

જૂનાગઢઃ સતત વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોરોના રસીકરણ (Vaccination of Gujarat Corona)સેન્ટરનુ એક બુથ રેડક્રોસમાં આપવામાં આવ્યું હતું. અહીં પાછલા નવ મહિના કરતાં વધુ સમયથી કોરોના રસીકરણનુ (Vaccination of Junagadh corona)કામ ચાલતું હતું, ત્યારે અચાનક જૂનાગઢ મનપાના સત્તાધીશોએ આ રસીકરણ બુથને બંધ કરીને કોર્પોરેશન કચેરીમાં લઈ જવામા આવ્યું છે. જેનો વિરોધ ભાજપના સ્થાનિક કોર્પોરેટર(vaccine booth close)કરી રહ્યા છે અને ફરીથી રસીકરણ બુથ રેડક્રોસમાં શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

રેડક્રોસમાં ચાલતું રસીકરણ બુથ બંધ કરાતા ભાજપ કોર્પોરેટરે કર્યો વિરોધ

કોરોના સંક્રમણની બીજી લહેરના સમયેસમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની(Corona vaccination in India ) શરૂઆત થઈ હતી. ત્યારે જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલા રેડક્રોસ હોલમાં રસીકરણનું એક બુથ ઊભું કરવામાં આવ્યું હતું, અહીં દરરોજ 100 જેટલા લોકો કોરોના રસીકરણ મેળવીને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી રહ્યા હતા, પાછલા નવ મહિનાથી કાર્યરત આ બુથને છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ મનપાના સત્તાધીશોએ બંધ કરીને તેને જૂનાગઢ મનપા કચેરીના મુખ્ય બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યું છે જેનો વિરોધ હવે ભાજપના સ્થાનિક કોર્પોરેટર હિતેશ ઉદાણી કરી રહ્યા છે અને મનપાના સત્તાધીશો સમક્ષ માંગ કરી રહ્યા છે કે રસીકરણ બુથ ફરીથી રેડક્રોસ હોલમાં શરૂ કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકોને તેનો લાભ મળી શકે હાલ રસીકરણ કરાવવા માટે આજે પણ શહેરીજનો આવી રહ્યા છે જેનો ફાયદો તેમને મળી શકે.

જૂનાગઢ રસીકરણ સેન્ટર

મનપા કચેરીમાં કાર્યરત રસીકરણ બુથ માં નિયમોનો થઈ રહ્યો છે ભંગ

જૂનાગઢ મનપા કચેરીમાં શરૂ કરવામાં આવેલા રસીકરણ બુથમાં નિયમોનું પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. રસીકરણ બુથમાં રસીકરણ વખતે તબીબની હાજરી અનિવાર્ય છે. આ સિવાય અહીં રસી લેવા માટે આવતા પ્રત્યેક વ્યક્તિને પ્રતીક્ષા માટે બેસવાનો એક અલગ રૂમ અને રસીકરણ લીધા બાદ વ્યક્તિ તબીબોના નિરીક્ષણ નીચે 30 મિનિટ સુધી રહે તે માટેની અલગ વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ આ પ્રકારની એક પણ વ્યવસ્થા કોર્પોરેશનના રસીકરણ બુથ માં જોવા મળતી ન હતી જે કરોના ગાઇડલાઈનનો અને ખાસ કરીને રસીકરણ બુથના જે નિયમો બનાવાયા છે તેનો ભંગ થતો હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃChemical Tanker Leak Surat : સચીન GIDCમાં ગેસ લીકે 6 નો ભોગ લીધો, જાણો વિવિધ વિભાગની પ્રતિક્રિયા

મનપા કચેરીમાં સ્થળાંતર કરવામાં આવ્યું

સમગ્ર મામલાને લઈને જૂનાગઢ મનપાના સત્તાધીશોએ રસીકરણ બુથ કચેરીમાં લાવવાને લઈને તર્ક આપતાં જણાવ્યું હતું કે જૂનાગઢ મનપા કચેરીમાં આવતા પ્રત્યેક અરજદારે કોરોના રસી લીધી છે કે નહીં તે અંગેનું પ્રમાણપત્ર દર્શાવવું ફરજિયાત બનાવાયું છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ અરજદાર પાસે રસીકરણનું પ્રમાણપત્ર ન હોય તો તેમને રસીકરણ બુથ માંથી આવુ પ્રમાણપત્ર મળી શકે કોઈ અરજદારે કોરોના રસી લીધા વગર આવે તો એવા તમામ લોકોને કોર્પોરેશન કચેરીમાં જ રસીનો ડોઝ મળી શકે તે માટે આ બુથને રેડક્રોસ હોલ માંથી ખસેડીને મનપા કચેરીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃCorona cases in Gujarat: સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડર, ધર્માંચાર્ય કાર્યક્રમ બાદ 40થી વધુ લોકો કોરોના સંક્રમિત

ABOUT THE AUTHOR

...view details