સુરત : દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા બોડોલેન્ડ પહેલા ઉગ્રવાદી ગતિવિધિ માટે નામચીન હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં શાંતિ સર્જાઈ છે ઉગ્રવાદીઓએ સરેન્ડર કરી દીધું છે. આવા યુવાઓ સહિત મહિલાઓને રોજગારી મળે અને તેઓની કળાને ખ્યાતિ પ્રાપ્ત થાય એ માટે બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયન આસામના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર પ્રમોદ બોરો (Bodoland Territorial Region Assam Chief Executive Member Pramod Boro) સુરતની મુલાકાતે (Pamod Boro in Surat)આવ્યા છે.
ટેક્સટાઈલ ટેકનોલોજી જાણવા સુરતની મુલાકાત લીધી
પ્રમોદ બોરો સુરતની ટેક્સટાઇલ ટેકનોલોજીથી (Surat Textile Industry Technology ) બોડોલેન્ડના લોકો પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે એ હેતુથી તેઓ સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે ETV Bharat સાથે ખાસ વાતચીત (Pamod Boro in Surat) કરી હતી.
સવાલ : ઉગ્રવાદ છોડીને જે યુવાનો પરત આવ્યા છે તેમના હાથમાં હથિયારની જગ્યાએ હવે હુન્નર આવે તે માટે આપ સુરત આવ્યાં છો ?
જવાબ : વર્ષ 2020માં જ્યારે બોડો ઉગ્રવાદીઓ જોડે સમજુતી થઈ ત્યારબાદ બોડોલેન્ડમાં સંપૂર્ણ શાંતિથઈ ગઈ છે. આ અગાઉ વર્ષોથી ત્યાં હિંસા થતી હતી લોકો મરી રહ્યા હતાં. પૂર્વોત્તર રાજ્યોમાં વર્ષોથી હિંસા થતી હતી પણ ખાસ કરીને બોડોલેન્ડમાં આ સ્થિતિ વધારે હતી. 5000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં વર્ષ 2020માં જે શાંતિ કરાર થયો ત્યારબાદ જે યુવાનોને અમે ઉગ્રવાદી કહેતા હતાં તેઓ હથિયાર સાથે જંગલોમાં રહેતા હતાં તેઓ હવે ઘરે આવી ગયા છે. પોતાના પરિવાર સાથે રહે છે. હવે એક નવી શરૂઆત વિકાસ માટે થઈ છે. પોલિટિકલ રાઈટ, સોશિયલ કલ્ચર રાઈટ, લેંગ્વેજીસ જેવા અનેક હકો માટે લડ્યા હતાં. આ કરારના કારણે શાંતિ સ્થપાઈ છે. હવે અમે વિકાસ તરફ જોઈ રહ્યા છે. અમારા ક્ષેત્રની માતાઓ બહેનો સદીઓથી હેન્ડલુમનું કામ કરે છે જે કોમર્શિયલ નથી. અમારે એને કોમર્શિયલ કરવું છે. અમે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઇવી ઉત્પાદન એશિયામાં સૌથી વધારે કરીએ છીએ. પરંતુ ટેકનોલોજી અમારી પાસે નથી. એ માટે અમે દેશના ટેક્સટાઇલ હબ સુરતમાં આવ્યાં છીએ. સુરત ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ આગળ છે. જો આ ટેકનોલોજી (Surat Textile Industry Technology ) અમને મળી જાય તો યુવાનોને રોજગાર મળશે અને અમારી ઇકોનોમી પણ (textile industry development) આગળ જશે. અમે લોકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ બોડોલેન્ડ આવે, અમારે ત્યાં કળા છે પરંતુ ટેકનોલોજી નથી. અગાઉ શાંતિ નહોતી, પરંતુ હવે શાંતિ છે ટેકનોલોજી લાવવાથી ઇકોનોમી વધશે.
સવાલ : બોડોલેન્ડના યુવાનોને રોજગાર મળે એ માટે ઇસ્ટ અને વેસ્ટ માટે કઈ રીતે કનેક્શન માંગો છો ?
જવાબ : બોડોલેન્ડમાં શાંતિ લાવવા માટે અમે ઘણી મોટી યાત્રા કરી છે. પહેલા કેન્દ્ર સરકાર અને બ્યુરોક્રેસી સાંભળતી ન હતી. જેના કારણે બે રાજ્યો વચ્ચે હિંસા થતી હતી. તે આમને સામને આવી જતા હતાં. હાલ જે સરકાર છે તે કામ કરનાર અસરદાર છે. નિર્ણય લેનાર સરકાર છે જ્યારથી પીએમ મોદી આવ્યા છે, તેઓ પૂર્વોત્તર રાજ્યમાં ઘણી વાર આવ્યા છે. તેઓએ પૂર્વોત્તરની સમસ્યા જાણી છે. આજ દિન સુધીનો ઇતિહાસ છે કે કોઈ વડાપ્રધાન સૌથી વધુ પૂર્વોત્તર ક્ષેત્રમાં ગયા હોય તો તે નરેન્દ્ર મોદી છે. એક સરસ વાતાવરણ ઉભુ થયું જેના કારણે ત્યાં આજે ઉગ્રવાદીઓ હતાં તેઓને પણ તક મળી અને વાતચીત કરવા માટે તેઓ આગળ આવ્યાં અને તેમની સાથે સમજૂતી પણ થઇ ગઇ છે.