- વાવાઝોડાના પગલે જૂનાગઢ મનપાના શરૂ કર્યા અસ્થાઈ કંટ્રોલરૂમ
- છેલ્લા 48 કલાકમાં મળી 200 ફરિયાદ
- મોટાભાગની ફરિયાદનો સમયસર થયો નિકાલ
જૂનાગઢ: વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપા દ્વારા છેલ્લા 48 કલાકથી આકસ્મિક ફરિયાદોનું નિરાકરણ થાય તે માટે અસ્થાઈ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં પાછલા બે દિવસ દરમિયાન 200 જેટલી અલગ-અલગ ફરિયાદ મળી હતી. જેનો સમય રહેતા મનપાના કર્મચારી અને અધિકારીઓએ નિરાકરણ કર્યું હતું. વાવાઝોડાને પગલે હોર્ડિંગ્સ પડવા, વૃક્ષો ધરાશાયી થવા, અસ્થાઈ મકાનના છાપરા ઉડવાની જેવી 75 જેટલી ફરિયાદ મળી હતી. તેમજ સ્ટ્રીટ લાઇટ બંધ થવાની 113 જેટલી ફરિયાદ મનપાના કંટ્રોલરૂમમાં નોંધાઈ હતી. જે પૈકીની મોટાભાગની ફરિયાદનું નિરાકરણ પણ કરી દેવામાં આવ્યું છે.
વધુ વાંચો:અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા અને ભૂવા પડ્યા