ગુજરાત

gujarat

Guru Purnima 2022 : પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજના ચરણ પાદુકાનું પૂજન મહત્વ

By

Published : Jul 13, 2022, 11:38 AM IST

આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી (Guru Purnima 2022) થઈ રહી છે, ત્યારે ગિરનાર પરીક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજની પૂજા સમગ્ર વિશ્વના સાધકો મહાગુરુ તરીકે પૂજા કરી રહ્યા છે. મહાગુરુ તરીકે પૂજાતા ગુરુદત્ત મહારાજે પણ તેમના જીવન દરમિયાન 24 જેટલા ગુરુઓ બનાવ્યા હતા અને તેમાંથી શીખ લઈને માનવજાત (Junagadh Guru Purnima) માટે ઉપદેશ પણ આપ્યો હતો.

Guru Purnima 2022 : પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજના ચરણ પાદુકાનું પૂજન મહત્વ
Guru Purnima 2022 : પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજના ચરણ પાદુકાનું પૂજન મહત્વ

જૂનાગઢ :આજે ગુરુ પૂર્ણિમાની ધાર્મિક ઉલ્લાસ (Guru Purnima 2022) સાથે ઉજવણી થઇ રહી છે, ત્યારે આદિ અનાદિ કાળ પૂર્વે ગિરનારના પાંચમા શિખરમાં ગુરુદત્ત મહારાજે (Girnar Gurudatta Maharaj) ધર્મના આચરણને લઈને કઠોર સાધના કરી હતી. ત્યારથી ગિરનારની પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજની હાજરીના પ્રતિક રૂપે તેમની ચરણ પાદુકાનું પૂજન થતું આવ્યું છે. ગુરુદત્ત મહારાજના સાધકો ગુરુદત્ત પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે અને તેને કારણે જ ગુરુદત્ત મહારાજને તેમના ગુરુ પણ માની રહ્યા છે.

પાંચમી શિખર પર ગુરુદત્ત મહારાજની હાજરીના પ્રતિક રૂપે તેમની ચરણ પાદુકાનું પૂજન

આ પણ વાંચોઃઆજે ગુરુ પૂનમ, આવી રીતે કરો ગુરુનું પૂજન

24 જીવોને ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા -સમગ્ર જગત જેને ગુરુ તરીકે પુજી રહ્યું છે. જેની ચરણપાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને ઔલોકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પણ પ્રકૃતિના પ્રાણી-પક્ષી તત્વો (Guru Purnima festival) અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત (Guru of Gurudatta Maharaj) કર્યા હતા. તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ માટે માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવજાતને ઉપદેશ આપ્યો હતો.

ચરણ પાદુકાનું પૂજન

આ પણ વાંચોઃValmiki Jayanti 2021: PM Modiએ પાઠવી શુભેચ્છા, મહર્ષિના જન્મથી જોડાયેલી કેટલીક કથાઓ...

24 ગુરુઓ તળેટીમાં હાજરા હજૂર -ગુરુદત્ત મહારાજ તેમના સાધના કાળ દરમિયાન જે જગ્યા પરથી તેમણે શીખ મળી છે તે તમામને પોતાના ગુરુ તરીકે માન્યા છે. ગુરુદત્તની માન્યતા મુજબ કોઈપણ વ્યક્તિ કે વસ્તુ આપણને સદગુણોની શિક્ષા આપે અથવા તો જીવન જીવવાની પદ્ધતિ પ્રત્યે આપણને માહિતગાર કરે તેવા તમામ લોકો ગુરુથી જરા પણ ઉતરતા નથી. જેને લઇને ગુરુદત્તે તેમના સમગ્ર સાધનાકાળ દરમિયાન ઉપયોગી બનેલા 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા અને કહેવાય છે કે 24 જેટલા ગુરુઓ આજે પણ ભવનાથ તળેટીમાં હાજરા હજૂર જોવા મળે છે.

ગુરુદત્ત મહારાજ

કોને ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા - ગુરુદત્ત ચમત્કાર જ ગણી શકાય છે. ગુરુદત્તે શ્વાન, ગણિકા, કબુતર, સૂર્ય, વાયુ, હરણ, સમુદ્ર, પતંગા, હાથી, આકાશ, જળ, મધમાખી, માછલી, બાળક, કુનડ, પક્ષી, આંખ, ચંદ્રમા, કુમારિકા, તીરકામઠું, બનાવનાર સાપ, કરોળિયો, ભૃંગી, કીડો, અજગર, ભમરો, જેવા પૃથ્વી પરના જીવ અને તત્વો પરથી શીખ મેળવી છે અને તેમને તેના ગુરુ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.

ગુરુદત્ત મહારાજ

ABOUT THE AUTHOR

...view details