ETV Bharat / city

અષાઢ માસની પૂનમ ગુરુ પૂર્ણિમાને બીજા કયા નામથી ઓળખાય?

author img

By

Published : Jul 12, 2022, 9:56 PM IST

ગુરુ પૂર્ણિમાને બીજા કયા નામેથી ઓળખાય છે
ગુરુ પૂર્ણિમાને બીજા કયા નામેથી ઓળખાય છે

અષાઢ માસની પૂનમને ગુરુ પૂર્ણિમા(Guru Purnima 2022) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુનું પૂજન કરવાનું મહત્વ (Guru Purnima Importance) હોય છે. ચાર વેદના પ્રથમ વ્યાખ્યાત વેદવ્યાસ હતા. આ દિવસે તેમની પૂજા થાય છે. આ દિવસે માત્ર ગુરુ એટલે શિક્ષકની જ નહિ, પરંતુ માતા-પિતા, મોટા ભાઈ-બહેનની પણ પૂજા કરી શકાય છે. ગુરુનો આશીર્વાદ જ વિદ્યાર્થી માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે.

અમદાવાદ: હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં 'ગુ' શબ્દ એટલે અંધકાર અને 'રૂ' એટલે અંધકારમાંથી અજવાળામાં લઇ જાય તેને ગુરુ કહેવાય. ગુરુ પોતાના શિષ્યને અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ (Other name Guru Purnima know) છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ અજ્ઞાનતા દૂર કરે(Guru Purnima Importance) છે. ગુરુએ હિંસા નહીં અહિંસાનો માર્ગ બતાવે છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

જ્યોતિષ આચાર્ય હેમિલ લાઠીયા etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું

વેદ વ્યાસ તરીકે પણ ઓળખાય છે - જ્યોતિષ આચાર્ય(Jyotish Acharya of Ahmedabad) હેમિલ લાઠીયા ETV Bharat સાથેની વાત કરતા જણાવ્યું હતું કે, ગુરુ પૂર્ણિમાને વેદ વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમનો જન્મ (Ved Vyas Birth) ઇ.સ.પૂર્વ 3000 વર્ષ પહેલાં થયેલો છે. તે વખતે તેમના જન્મ પછી તેમનું જ્ઞાન જે લોકોની આપવામાં આવ્યું છે. જેથી આ પૂનમ પ્રખ્યાત થઈ છે. તે ઉપરાંત આ દિવસે ભગવાન ભોળાનાથે સપ્તર્ષિને વિશિષ્ટ જ્ઞાન(saptarshi Rishi Receive Special knowledge) આપ્યું હતું. આ કારણે પૂર્ણિમા ખૂબ જ પ્રચલિત થઈ છે. આ પૂનમ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગમાં પણ આ પૂનમ અનેક ફેરફાર સાથે ભાવપૂર્વક ઉજવાય છે.

આ પણ વાંચો: ગુરુપદનો મહિમા શોભાવતાં ગુરુરત્નોને શબ્દાંજલિ

માતા પિતા પછીનું સ્થાન એટલે ગુરુ - હિન્દુ ધર્મના માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં હોય તે ગુરુને આપવામાં આવ્યો છે. તેથી કહેવાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. તેમનો એક જ આશય હોય છે કે, ગુરુ આશીર્વાદ તેમના પર કાયમ માટે રહે. આ દિવસે ભગવાન કૃષ્ણ, અને ભોલેનાથનું ધ્યાન પણ કરવામાં આવે છે તેમજ આ શ્લોકનું પઠન કરવામાં આવે છે.

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,

ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

પ્રાચીનકાળથી ગુરુ મહિમા ચાલીને આવી રહ્યો છે - પ્રાચીનકાળમાં જ્યારે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં મફતમાં શિક્ષા મેળવતા હતા.આજના દિવસે શિષ્ય શ્રધ્ધા ભાવથી તેમની પૂજા કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને આનંદની લાગણી અનુભતી થતી હતી.વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી દ્વારા રચિત ગ્રન્થોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. તેથી કહેવાય છે કે ગુરુ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરી તેમના દ્વારા મળેલી વિદ્યાનો સાચો ઉપયોગ કરો એ જ સાચી દક્ષિણા છે.

આ પણ વાંચો: આજે ગુરુ પૂર્ણિમા : 'કૃષ્ણ વંદે જગતગુરુમ'

સાચો શિષ્ય એકલવ્ય બન્યો હતો - એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા.તેમની મૂર્તિ સામે મૂકીને ધનુવિદ્યાના પાઠ શીખ્યો હતો. જ્યારે ગુરુએ દક્ષિણામાં એકલવ્યનો અંગુઠો માંગ્યો હતો. તો એકલવ્ય કોઈપણ સંકોચ વિના પોતાનો અંગુઠો કાપીને ગુરુને ગુરુદક્ષિણા આપ્યો હતો. જેથી એકલવ્યને ઇતિહાસનો સાચો શિષ્ય(True Disciple of History) તરીકે ઓળખવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.