- ગાંધીનગર : ગૃહ રાજ્ય મંત્રી સમાધાન માટે વચ્ચે આવ્યા
- માંગણીઓ મામલે પ્રદીપસિંહ જાડેજાએ બેઠક કરી
- મેડિકલ એસોસિએશન હડતાલ નહીં કરે તેની બાહેંધરી આપી
ગાંધીનગરઃ ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા તેમની પડતર માંગણીઓને લઈને આરોગ્ય વિભાગને લેટર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને તત્કાલ બેઠક પ્રદીપસિંહ જાડેજાએ તુરંત બેઠક યોજી હતી. મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કોરોના મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા ચર્ચા પણ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય તબીબોએ હડતાળ કરી તેમની માંગણીઓ સંતોષવામાં આવી છે. તેઓ અત્યાર સુધી ચૂપ અને નમ્ર રહ્યા, સરકાર પર ભરોષો રાખ્યો પરંતુ અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી થયું નથી. જેથી હળતાલ પર જવાને ચિમકી તેમને આપી હતી.
આ પણ વાંચોઃ એમ. પી. શાહ મેડિકલ કોલેજના તબીબ શિક્ષકોએ વિવિધ પડતર માંગણીઓ સાથે કર્યો વિરોધ
ઉપવાસ ના કરવા સરકારે ભલામણ કરી છે જેને માન્ય રાખીઃ રજનીશ પટેલ
ગુજરાત મેડિકલ ટીચર એસોસિયેશન પ્રમુખ રજનીશ પટેલે જણાવ્યું હતું કે, 200 વખત લેખિત રજૂઆત બાદ સરકાર સાથે બેઠક થઈ હતી. બીજી બેઠક થાય તે પહેલાં ઉપવાસ ના કરવા સરકારે ભલામણ કરી છે જેને અમે માન્ય રાખીએ છીએ. સરકારનો હકારાત્મક અભિગમ જણાતાં ઉપવાસ નહિ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે દર્દીઓને સારવાર મળે તે માટે આ નિર્ણય માન્ય રાખ્યો છે. વિવિધ 15 માગો પર ચર્ચા કરવા વધુ એક વખત સરકાર મંત્રણા કરશે.