ગુજરાત

gujarat

તોફાની વરસાદનો સામનો કરવા રાજ્ય કેટલું સજ્જ, જૂઓ શું કહ્યું રાજ્ય પ્રધાને

By

Published : Jul 6, 2022, 2:05 PM IST

Updated : Jul 6, 2022, 2:48 PM IST

ગાંધીનગરમાં રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi in Gandhinagar) ઈમરજન્સી સેન્ટરની મુલાકાત (Rajendra Trivedi visits Emergency Centre) લીધી હતી. અહીં તેમણે રાજ્યમાં વરસાદની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કર્યા પછી કહ્યું હતું કે, વરસાદ સામે તંત્ર સજ્જ છે.

તોફાની વરસાદનો સામનો કરવા રાજ્ય કેટલું સજ્જ, જૂઓ શું કહ્યું રાજ્ય પ્રધાને
તોફાની વરસાદનો સામનો કરવા રાજ્ય કેટલું સજ્જ, જૂઓ શું કહ્યું રાજ્ય પ્રધાને

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત (Heavy Rain in Gujarat) થઈ ગઈ છે. ત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યું છે. આના કારણે અનેક જગ્યાએ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. તેવામાં વરસાદની તૈયારીઓની સમીક્ષા (Review of rain preparations) માટે આજે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઈમરજન્સી સેન્ટર ખાતે (Rajendra Trivedi visits Emergency Centre) પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટર્સ સાથેની ચર્ચા (Minister Rajendra Trivedi Meeting with Collectors) કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે, વરસાદ સામે તંત્ર સજ્જ છે.

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટરો સાથે કરી ચર્ચા

જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી -રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા બનાસકાંઠા અને અન્ય જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain in Gujarat) પડી રહ્યો છે. ત્યારે વરસાદની સમીક્ષા કરવા પોતે (Review of rain preparations) મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઈમરજન્સી સેન્ટર ખાતે (Rajendra Trivedi visits Emergency Centre) પહોંચ્યા હતા અને રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી (Minister Rajendra Trivedi Meeting with Collectors) કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થયા મહેરબાન

તંત્રને એલર્ટ રહેવા સૂચના -આ ઉપરાંત NDRFના ડિપ્લોયમેન્ટ (Team Deployment of NDRF in Gujarat) સહિત જિલ્લા કક્ષાએ તંત્ર કઈ રીતે એલર્ટ છે. તે બાબતની પણ ચર્ચાઓ કરી હતી. સાથે જ જેતે જિલ્લા કલેકટરોને ભારે વરસાદમાં એલર્ટ રહેવાની સૂચના પણ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આપી હતી.

આ પણ વાંચો-સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ધોવાયો, સર્જાઈ ભયંકર સ્થિતિ

નીચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવશે -મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી (Meteorological Department Rainfall Forecast) હોય તો જેતે જિલ્લાઓમાં જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે. તેવા લોકોને અગાઉથી જ શિફ્ટ કરી દેવાની સૂચના પણ જિલ્લા કલેકટરોને આપવામાં આવી છે.

પાણીની સ્થિતિ પર નજર રાખવા કલેક્ટરોને સૂચના - બનાસકાંઠાની સ્થિતિ જોયા બાદ તમામ કલેકટરોને પાણીની સ્થિતિ ઉપર પણ નજર રાખવા માટેની સૂચના વિડિઓ કોંફરન્સ માધ્યમથી આપવામાં આવી છે. જ્યારે કન્ટ્રોલ રૂમ ખાતેની કામગીરી સહિતના મુદ્દાઓ પર કેબિનેટ મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ચર્ચા કરી હતી.

CMને રિપોર્ટ સોંપવામાં આવશે - મહેસુલ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અને વિભાગ દ્વારા એલર્ટ મૂકવામાં આવ્યું છે અને તમામ જિલ્લા કલેકટરોને સાવચેત લેવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે ઈમરજન્સી વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ બાબતનો રિપોર્ટ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવશે અને વધુ વરસાદમાં લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે બાબતે પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કક્ષાએ વરસાદની સમીક્ષા કરવામાં આવશે.

Last Updated :Jul 6, 2022, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details