ગુજરાત

gujarat

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 18 નવા કોરોના કેસ નોંધાયા, 49 દર્દીઓ સ્વસ્થ થયાં

By

Published : Aug 27, 2020, 8:01 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે બન્ને પ્રદેશના મળીને 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. જ્યારે 49 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 18 નવા કોરોના કેસ સામે 49 દર્દીઓ સ્વસ્થ થયાં
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 18 નવા કોરોના કેસ સામે 49 દર્દીઓ સ્વસ્થ થયાં

દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે બન્ને પ્રદેશના મળીને 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. જ્યારે 49 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં. સંઘપ્રદેશ દમણમાં ગુરુવારે વધુ 7 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયાં હતાં. જેની સામે 17 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં. દમણમાં અત્યાર સુધીમાં કુલ 982 કોરોના પોઝોટિવ દર્દીઓ નોંધાયાં છે. જેમાંથી 889 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. જ્યારે હાલ માત્ર 93 દર્દીઓ સારવાર હેઠળ છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુરુવારે 11 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સામે 32 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 1054 દર્દીઓ નોંધાયાં છે. જેમાંથી 186 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 868 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. ટૂંકમાં સતત કોરોના દર્દીઓમાં ઘટાડો નોંધાતાં સંઘપ્રદેશ આરોગ્ય વિભાગે અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

ABOUT THE AUTHOR

...view details