ગુજરાત

gujarat

Ahmedabad Rathyatra 2022: જૂઓ ભગવાન જગન્નાથજીના મામેરાંની ઝલક

By

Published : Jun 25, 2022, 10:37 AM IST

અમદાવાદમાં અગિયારસના દિવસે ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું (Mameru of Lord Jagannathji at Saraspur) કરાયું હતું. અહીં ભગવાનની આરતી અને મામેરાના દર્શન પછી યજમાનના ઘરે મામેરાના દર્શન ખૂલ્લા મૂકાશે. તો આ વખતે મામેરાંની શું વિશેષતા (Ahmedabad Rathyatra 2022) છે જોઈએ આ અહેવાલમાં.

Ahmedabad Rathyatra 2022: જૂઓ ભગવાન જગન્નાથજીના મામેરાંની ઝલક
Ahmedabad Rathyatra 2022: જૂઓ ભગવાન જગન્નાથજીના મામેરાંની ઝલક

અમદાવાદઃ આખરે 2 વર્ષ પછી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) યોજાશે. ત્યારે અગિયારસના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું યોજાયું હતું. સરસપુર ખાતે ભગવાનની આરતી અને મામેરાના દર્શન બાદ, યજમાનના ઘરે આંબાવાડી ખાતે 2 દિવસ મામેરાના દર્શન ખૂલ્લા મૂકવામાં આવશે.

ભગવાન જગન્નાથજીના મામેરાંની ઝલક

17 વર્ષે લાગ્યો નંબર -આ વર્ષે મામેરું કરવાનું સૌભાગ્ય આંબાવાડીમાં રહેતા અને મૂળ સરસપુરના રાજેશ પટેલને પ્રાપ્ત (Ambavadi Patel Family did Mameru of Lord Jagannath) થયો છે. તેમના દાદા અને પિતાને મામેરાના યજમાન બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તેમનું કહેવું છે કે, 17 વર્ષ પહેલા તેમણે આ માટે નામ લખાવ્યું હતું. મામેરાના યજમાન થવા માટે જે વ્યક્તિ નામ લખાવે તેનો ડ્રો થાય છે. તે પ્રમાણે વ્યક્તિને મામેરુ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

ભગવાનનું મામેરું

આ પણ વાંચો-AMC Rathyatra Operation : રથયાત્રાને લઈને શહેરના મકાનમાલિકોને AMCની નોટીસ

આ વખતે વસ્ત્રોમાં શું નવું? -આ વર્ષે મામેરાના યજમાન પ્રસિદ્ધ ફર્નિચર બ્રાન્ડના પરિવારમાંથી આવે છે. તેમને ETV Bharatને જણાવ્યું હતું કે, આ વર્ષે કમળ, મોર અને નંદિની થીમ પર વસ્ત્રો બનાવવામાં આવ્યા છે. વસ્ત્રોને સ્કાયબ્લ્યૂ અને ગુલાબી રંગ આપવામાં (Ambavadi Patel Family did Mameru of Lord Jagannath) આવ્યો છે, જેની પર જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે. આ વસ્ત્રોની ડિઝાઇન ઘરની દીકરીઓએ તૈયાર કરી છે.

આ પણ વાંચો-ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવાની અનોખી રસમ, 5 દિવસ સુધી ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે

ભગવાનને શું અર્પણ કરાયું? -યજમાન પરિવારના બિનિતા પટેલે જણાવ્યું હતું કે, મામેરામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને મોટા હાર, વિંટી, ચાંદીની ગાય, ચાંદીના થાળ, કોસ્મેટિક્સ, વસ્ત્રો વગેરે વસ્તુઓ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details