ગુજરાત

gujarat

Hearing in Gujarat High Court : સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં હાઇકોર્ટમાં આજે શું થયું જાણો

By

Published : Jul 4, 2022, 9:17 PM IST

વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં બે જૂથોની લડાઇ ગુજરાત હાઇકોર્ટના દ્વારે ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી (Hearing in Gujarat High Court ) યોજાઇ હતી. આ સુનાવણીમાં શું અપડેટ છે (Sokhada Haridham Controversy update in High Court) તે જાણવા વાંચો અહેવાલ.

Hearing in Gujarat High Court : સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં હાઇકોર્ટમાં આજે શું થયું જાણો
Hearing in Gujarat High Court : સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં હાઇકોર્ટમાં આજે શું થયું જાણો

અમદાવાદ- સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદના મામલમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી (Hearing in Gujarat High Court ) હાથ ધરાઇ હતી. જે મામલે આજની સુનાવણીમાં (Sokhada Haridham Controversy update in High Court) પ્રબોધસ્વામીના જૂથે (Prabodhaswamy of Sokhada Swaminarayan temple )કોર્ટ પાસેથી સાધુ સંતોને આશ્રમમાં રહેવા દેવાય એવી માગ કરી છે અને કોર્ટ પાસે વધુ સમય પણ માંગ્યો છે. જોકે એમની આ માંગનો પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ દ્વારા વિરોધ ( Prem Swarupaswamy of Sokhada Swaminarayan Temple ) કરવામાં આવ્યો હતો. એની સાથે જ નિર્ણયનગર અને બાકરોલમાં સંતોને સાધિઓને જે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ હટાવવામાં આવે એવી પ્રેમસ્વરૂપ સ્વામીએ માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Vadodara Sokhda Controversy: સોખડા ગાદીપતિ વિવાદનો મામલો, આ ગામમાં પ્રબોધ સ્વામી કરી શકે છે રોકાણ

હેબિયસ કોપર્સની અરજી હતી- આ સમગ્ર મામલે હાઇકોર્ટ હેબિયસ કોર્પસની અરજીનો પણ નિકાલ(Hearing in Gujarat High Court ) કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હેબિયસ કોર્પસ પિટિશનના કાર્યક્ષેત્ર પ્રમાણે સંતો અને સાધ્વીઓને ગેરકાયદે અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેથી આ મામલે હવે અરજી ચાલુ રાખવાનો કોઈ અર્થ રહેતો(Sokhada Haridham Controversy update in High Court) નથી.

આગામી સુનાવણીની તારીખ - ગુજરાત હાઈકોર્ટે દ્વારા આ મામલે 11 જુલાઈ સુધી વધુ મુદત આપવા સાથે 11 જુલાઈ સુધી સંતો અને સાધવીઓ ત્યાં રહી શકે છે એવું કહેવામાં (Hearing in Gujarat High Court ) આવ્યું છે.

આ પણ વાંચોઃ Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

શું હતો મામલો-વડોદરાના હરિધામ સોખડા વિવાદની (Sokhada Haridham Controversy update in High Court)વાત કરીએ તો (Vadodara Sokhda Controversy) હરિપ્રસાદ સ્વામી નિધન (Death of Hariprasad Swami) બાદથી સંપત્તિની વહેંચણીને લઇને વિવાદમાં છે. હરિધામની 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ અને ગાદી વિવાદ (Vadodara Sokhda Controversy) અંતે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ આ અંગે પિટિશન દાખલ કરી છે. હરિધામમાં સંતોના પાસપોર્ટ, ફોન, કેમેરા અને સામાન જપ્ત કરી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ અહીં 400થી વધુ સંતો અને હરિભક્તોને પણ ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details