ગુજરાત

gujarat

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા આજથી ગુજરાત પ્રવાસે

By

Published : Aug 16, 2022, 8:37 AM IST

Updated : Aug 16, 2022, 12:21 PM IST

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક Gujarat Congress Observer Ashok Gehlot બન્યા પછી પહેલી વાર ગુજરાત પ્રવાસે Rajasthan CM Ashok Gehlot Gujarat Visit આવી રહ્યા છે. આજથી ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આજે સૌપ્રથમ સુરત પહોંચશે. ત્યારબાદ તેઓ ક્યાં અને કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે અંગે જોઈએ આ અહેવાલમાં.

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા આજથી ગુજરાત પ્રવાસે
કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા આજથી ગુજરાત પ્રવાસે

અમદાવાદગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) આવી રહ્યા છે, ત્યારે હવે રાજસ્થાનના મુખ્યપ્રધાન અને સીનિયર નેતા અશોક ગહેલોત (Rajasthan CM Ashok Gehlot Gujarat Visit) આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસના નિરીક્ષક બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

વરિષ્ઠ નેતાઓને સોંપાઈ જવાબદારી

વરિષ્ઠ નેતાઓને સોંપાઈ જવાબદારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર (Gujarat Congress Observer Ashok Gehlot) તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને (Chhattisgarh Chief Minister Bhupesh Baghel) હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તો સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

અશોક ગેહલોતનો કાર્યક્રમ

ચૂંટણીની તૈયારી પર નજર કૉંગ્રેસ નેતા સચિન પાયલટ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ (Congress preparations for elections) પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટી.એસ. સિંહદેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનો કાર્યક્રમ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આજે (16 ઓગસ્ટે) સૌપ્રથમ સુરત (Rajasthan CM Ashok Gehlot Gujarat Visit) પહોંચશે. અહીં તેઓ દક્ષિણ ગુજરાતના કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચશે અને સૌરાષ્ટ્રના કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે. તો સાંજે તેઓ વડોદરા પહોંચશે અને અહીં જ રાત્રિ રોકાણ કરશે

આ પણ વાંચોભાજપના ભ્રષ્ટાચારને કારણે દેવામાં ડૂબ્યું ગુજરાત: કેજરીવાલ

આવતીકાલનો કાર્યક્રમ તેઓ (Rajasthan CM Ashok Gehlot Gujarat Visit) આવતીકાલે (17 ઓગસ્ટે) વડોદરામાં તેઓ મધ્ય ગુજરાતના કૉંગ્રેસના નેતાઓને મળશે. આ બાદ તેઓ અમદાવાદ પહોંચશે અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરશે. રાત્રિ રોકાણ તેઓ અમદાવાદમાં કરશે.

પરમદિવસનો કાર્યક્રમતેઓ (Rajasthan CM Ashok Gehlot Gujarat Visit) 18 ઓગસ્ટે સવારે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ કૉંગ્રેસના નેતાઓને મળીને મેનિફેસ્ટો (Congress Manifesto for Election) પર ચર્ચા કરશે. તેમ જ સાંજે તેઓ જયપુર માટે રવાના થશે.

કૉંગ્રેસે કરી છે આ જાહેરાત તો આ તરફ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે હાલમાં જ કૉંગ્રેસ ચૂંટણી જીતશે તો ખેડૂતો માટે પહેલી કેબિનેટમાં જ 3,00,000 રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવાનું વચન આપ્યું છે. આની સાથે જ તેમણે 10 કલાક દિવસે વીજળી ફ્રી અપાશે તથા ખેતપેદાશોને ઓછા ભાવે ખરીદવા પર પણ પ્રતિબંધનો કાયદો લાવવાની વાત ઉચ્ચારી હતી. વળી ટેકાના ભાવ પર બોનસ આપવાની વાત પણ કરી છે.

આ પણ વાંચોArvind Kejriwal visit Vadodara: ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવે છેઃ કેજરીવાલ

કૉંગ્રેસ માટે અત્યારનો સમય મુશ્કેલ મહત્વનું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કૉંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરી શકે તે માટે અશોક ગેહલોતને નિરીક્ષક (Gujarat Congress Observer Ashok Gehlot) તરીકે નિમાયા હતા. કૉંગ્રેસના ટોચના નેતાઓ તથા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તો હવે 16થી 18 ઓગસ્ટ સુધીના ત્રણ દિવસના પ્રવાસમાં અશોક ગેહલોત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી બેઠક કરશે, જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee) દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત "મારું બૂથ મારું ગૌરવ" (My booth my pride) કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજવામાં આવી રહી છે.

Last Updated :Aug 16, 2022, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details