ગુજરાત

gujarat

Punjab Elections Results 2022 : કેપ્ટનની નૈયા ડૂબી, અમરિન્દરસિંહ પટિયાલા શહેર બેઠક પર ચૂંટણી હારી ગયાં

By

Published : Mar 10, 2022, 2:43 PM IST

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદરસિંહ પટિયાલા શહેરી બેઠક પરથી હારી ગયા છે. પંજાબ લોક કોંગ્રેસ નામનો નવો પક્ષ બનાવી વિધાનસભા ચૂંટણી લડતાં કેપ્ટન હારી જતાં તેમના રાજકીય કદનો મોટી હાનિ પહોંચી રહી છે. વધુ વાંચો આ અહેવાલમાં.

Punjab Elections Results 2022 : કેપ્ટનની નૈયા ડૂબી, અમરિન્દરસિંહ પટિયાલા શહેર બેઠક પર ચૂંટણી હારી ગયાં
Punjab Elections Results 2022 : કેપ્ટનની નૈયા ડૂબી, અમરિન્દરસિંહ પટિયાલા શહેર બેઠક પર ચૂંટણી હારી ગયાં

ન્યૂઝ ડેસ્કઃ પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદરસિંહ પટિયાલા શહેરી બેઠક પરથી હારી ગયા છે. AAPના ઉમેદવાર અજીત પાલ કોહલીએ કેપ્ટનને હાર આપી છે. અજિત પટિયાલા વિધાનસભા બેઠક પર 13777 મતોના જંગી અંતરથી જીત્યા છે.કેપ્ટન ભાજપ અને સુખદેવ સિંહ ઢિંડસાની પાર્ટી (sukhdev singh dhindsa's party) સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં હતાં.

કેપ્ટનનું પંજાબમાં વજનદાર વ્યક્તિત્વ

કેપ્ટન અમરિન્દરસિંહ ભારતીય રાજકારણી, લશ્કરી ઇતિહાસકાર, લેખક, ભૂતપૂર્વ રાજવી અને ભૂતપૂર્વ પીઢ સૈનિક છે, જેમણે પંજાબના 15માં મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. પટિયાલાથી વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ હતા. તેઓ અગાઉ 2002થી 2007 દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના પિતા પટિયાલા રજવાડાના છેલ્લા મહારાજા હતાં. તેમણે 1963થી 1966 દરમિયાન ભારતીય સેનામાં પણ સેવા આપી છે. 1980માં, તેમણે પ્રથમ વખત લોકસભાની બેઠક જીતી. ફેબ્રુઆરી 2021 સુધીમાં, સિંઘ પંજાબ ઉર્દૂ એકેડમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે. કેપ્ટન સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુંઆપ્યું હતું.

આ પણ વાંચોઃ Punjab Legislative Assembly Election 2022: કેપ્ટન અમરિંદર સિંહનું એલાન, BJP સાથે મળીને ચૂંટણી લડશે

કેપ્ટનની પારિવારિક ભૂમિકા

અમરિન્દર સિંહનો જન્મ 11 માર્ચ 1942ના રોજ પટિયાલા શહેરમાં સિદ્ધુ કુળના શાહી પંજાબી જાટ શીખ પરિવારમાં થયો હતો. માતા-પિતા મહારાજા સર યાદવેન્દ્ર સિંહ અને પટિયાલાના મહારાણી મોહિન્દર કૌર છે. અમરિન્દર સિંઘનો પરિવાર ફુલ્કિયન વંશનો છે. તેમને એક પુત્ર રાનીન્દર સિંહ અને એક પુત્રી જયઈન્દર કૌર છે. તેમની પત્ની, પ્રનીત કૌરે સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી અને 2009થી ઓક્ટોબર 2012 સુધી વિદેશ મંત્રાલયમાં રાજ્યપ્રધાન હતાં.

પંજાબના રાજકારણમાં કેપ્ટનની પ્રલંબ કારકિર્દી રહી છે

કેપ્ટનનો પરિવાર પણ લાંબા સમયથી રાજકારણમાં પ્રવૃત્ત

તેમની મોટી બહેન હેમિન્દર કૌરના લગ્ન ભૂતપૂર્વ વિદેશપ્રધાન કે. નટવરસિંહ સાથે થયા છે. તેઓ શિરોમણી અકાલી દળના સુપ્રીમો અને ભૂતપૂર્વ IPS ઓફિસર સિમરનજીતસિંહ માન સાથે પણ સંબંધિત છે. માનની પત્ની અને અમરિંદર સિંહની પત્ની પ્રનીત કૌર બહેનો છે.

આ પણ વાંચોઃ Punjab Assembly Election 2022 : દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યાં કેપ્ટન અમરિન્દરસિંહ

કેપ્ટન અમરિન્દરસિંહની રાજકીય કારકિર્દી

કેપ્ટન બે વખત પંજાબના મુખ્યપ્રધાન અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

2002 થી 2007 દરમિયાન પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યાં

2017માં બીજી વખત મુખ્યપ્રધાન બન્યાં, પરંતુ સપ્ટેમ્બર 2021માં રાજીનામું આપવું પડ્યું

1980માં પહેલીવાર તેઓ કોંગ્રેસની ટિકિટ પર પટિયાલાથી સાંસદ તરીકે ચૂંટાયા હતાં

1984માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અકાલી દળમાં જોડાયાં

1985માં સાબોથી ચૂંટણી જીતીને તલવાન્ડો સુબાથી પ્રધાન બન્યાં

1992, 2002, 2012, 2017માં પણ ધારાસભ્ય બન્યાં

2014માં તેમણે અરુણ જેટલીને હરાવીને અમૃતસરથી ચૂંટણી જીતી હતી

રાજકારણમાં આવતાં પહેલા તેઓ 1963થી 66 સુધી ભારતીય સેનામાં કેપ્ટન હતાં

કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુનો ગજગ્રાહ નડ્યો

કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેના આંતરિક કલહે વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત પહેલાં જ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. કોંગ્રેસના પંજાબ એકમ પર કેપ્ટનની પકડ હચમચાવનારી અનેક ઘટનાઓ બાદ કેપ્ટને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજકીય નિષ્ણાતોએ પંજાબના રાજકીય ઘટનાક્રમોને લઇને કોંગ્રેસને નુકસાની ભવિષ્યવાણીઓ આજના પરિણામોમાં કોંગ્રેસના રકાસ સાથે સાચી પડી છે. ત્યારે કેપ્ટન અમરિન્દરસિંહના હારી જવાના સમાચાર પણ પંજાબના રાજકારણમાં વરિષ્ઠ નેતાઓના સમયનો અંત આવી રહ્યો હોવાની આલબેલ પોકારી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details