ગુજરાત

gujarat

શ્રદ્ધા મર્ડર કેસ: આરોપી આફતાબની જમીન અરજી પર સુનાવણી ટળી; જાણો ક્યારે થશે આગામી સુનાવણી

By

Published : Dec 16, 2022, 3:34 PM IST

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં (Shraddha Walker Murder Case)શુક્રવારે સવારે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી (Hearing on bail plea of ​​accused Aftab postponed)છે. હવે આ સુનાવણી શનિવારે સવારે 10 વાગે થશે. પોલીસની અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

શ્રદ્ધા મર્ડર કેસ: આરોપી આફતાબની જમીન અરજી પર સુનાવણી ટળી; જાણો ક્યારે થશે આગામી સુનાવણી
hearing-on-bail-plea-of-accused-aftab-postponed-in-shraddha-murder-case

નવી દિલ્હીઃશ્રદ્ધા વોકર મર્ડર કેસના (Shraddha Walker Murder Case)આરોપી આફતાબ પૂનાવાલાની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી (Hearing on bail plea of ​​accused Aftab postponed) છે. પોલીસની અરજી પર સાકેત કોર્ટે સુનાવણી શનિવારે સવારે 10 વાગ્યા સુધી મુલતવી રાખી (Hearing on bail plea of ​​accused Aftab postponed) છે. જામીન અરજી પર હવે શનિવારે ચર્ચા થશે. આ પહેલા આરોપી આફતાબ પૂનાવાલાના વકીલ એમએસ ખાને સાકેત કોર્ટમાં તેના જામીન અંગે અરજી કરી હતી, જેની સુનાવણી આજે સવારે 10 વાગ્યે થવાની હતી. આરોપીના વકીલે પણ આફતાબને જામીન મળવાની આશા વ્યક્ત કરી (Hearing on bail plea of ​​accused Aftab postponed)હતી.

આ પણ વાંચોવડોદરા સુગર ફેક્ટરી ઉચાપત કેસમાં આખરે 12 આરોપીઓ થશે જેલભેગા, કોર્ટે કરી સજા

પોલીસની કાર્યશૈલી પર સવાલ:આફતાબના વકીલ એમએસ ખાને પણ દિલ્હી પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે શ્રદ્ધા હત્યા કેસમાં (Shraddha Walker Murder Case)નવો વળાંક આવવાનો છે, જેના પછી દિલ્હી પોલીસના પગ નીચેથી જમીન સરકી જશે. દિલ્હી પોલીસ જે પુરાવા રજૂ કરી રહી છે તે તમામ પાયાવિહોણા છે. હજુ સુધી દિલ્હી પોલીસ દ્વારા કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી અને જેમ જેમ આ કેસ ચાલે છે તેમ તેમ દિલ્હી પોલીસ પણ આ કેસમાં ફસાઈ શકે છે.

આ પણ વાંચોમોરબીના જુની પીપળી પાસે બાઇક સાથે કાર અથડાવી 3 ઇસમોએ લાખોની કરી લૂંટ

તમને જણાવી દઈએ કેપોલીસને મહેરૌલીના જંગલોમાંથી એક મૃતદેહના હાડકાં મળી આવ્યા હતા. હવે આ હાડકાઓ શ્રદ્ધાના (Shraddha Walker Murder Case)પિતા વિકાસ વોકરના ડીએનએ સાથે મેચ થઈ ગયા છે. પોલીસ ઘણા દિવસોથી આ ડીએનએ ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહી હતી. આ માહિતી સામે આવતા જ આ કેસમાં નવો વળાંક આવ્યો છે. બીજી તરફ દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર જેમના હાડકાંનું ડીએનએ કરવામાં આવ્યું છે તેને ટૂંક સમયમાં પોસ્ટમોર્ટમ માટે એઈમ્સમાં મોકલવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દ્વારા શ્રદ્ધાની હત્યાનો (Shraddha Walker Murder Case) ચોક્કસ દિવસ અને સમય જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. આટલું જ નહીં પોલિગ્રાફ ટેસ્ટ બાદ પોલીસે શ્રધ્ધાના (Shraddha Walker Murder Case)કેટલાક કપડા જંગલમાંથી પણ કબજે કર્યા છે, જે તેણીએ અંતિમ ક્ષણોમાં પહેર્યા હતા. આ કપડાં જંગલમાંથી મળી આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details