ગુજરાત

gujarat

આજે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની પૂણ્યતિથિ

By

Published : Aug 7, 2021, 9:07 AM IST

ગુરુદેવ એકમાત્ર કવિ છે જેમની બે રચનાઓ બે દેશોના રાષ્ટ્રગીત બની છે. ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન અને બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત અમર સોનાર બાંગ્લા ગુરુદેવની રચનાઓ છે.

guru dev
આજે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર ની પૂણ્યતિથિ

દિલ્હી: મહાન સંગીતકાર, ચિત્રકાર, લેખક , કવિ અને વિચારક ગૂરૂદેવ રવીંન્દ્રનાથ ટાગોરને ગુરૂદેવના નામે પણ ઓળખવામાં આવી છે. તે વિલક્ષણ પ્રતિભાના ધની હતી. ગુરૂદેવ રવીંન્દ્ર નાથ ટાગોર પહેલા ભારતીય, પહેલા એશિયાઈ અને પહેલા બિન યુરોપીય હતા જેમણે સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કોલકત્તામાં જન્મ

ગુરૂનાથ રવીંન્દ્રનાથ ટાગોરજીનો જન્મ 7 મે 1861માં કોલકત્તામાં થયો હતો. તેમના પિતાનું નામ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી હતું. તેમનું શાળાનું શિક્ષણ સેંટ જેવિયર સ્કુલમાં થઈ હતી. તે બાદ તેઓ બેરીસ્ટરનું સપનું પુરુ કરવા માટે 1978માં ઇંગ્લેન્ડના બ્રિજટોનમાં એક પબ્લિક સ્કુલમાં દાખલો લીધો હતો. તેમણે લંડનની વિશ્વ વિદ્યાલયમાં વકાલતનું ભણ્યું હતું પણ 1880 ડિગ્રી લીધા વિના પાછા આવી ગયા હતા.

વિલક્ષ પ્રતિભાના ધની

7ઓગસ્ટ 1941ના દિવસે તેમણે કોલકત્તામાં છેલ્લા શ્વાસ લીધા હતા. ગુરૂદેવ વિલક્ષણ પ્રતિભાઓ ધરાવતા હતા. તે કવિ, સાહિત્યકાર, દાર્શનિક, નાટકકાર, સંગીતકાર અને ચિત્રકાર હતા. વિશ્વવિખ્યાત મહાકાવ્ય ગીતાજંલીની રચના માટે તેમને 1913 સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝ જીતવાવાળા તે એકલા ભારતિય છે.

આ પણ વાંચો: ભાગ્યે જ જોવા મળતી ઘટના, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સગર્ભાએ ત્રણ બાળકોને આપ્યા જન્મ

માનવતા હંમેશા ઉપર

માહિતી અનુસાર, રવિન્દ્રનાથ ટાગોર માનવતાને રાષ્ટ્રવાદથી ઉપર રાખતા હતા. ગુરુદેવે કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું માનવતા ઉપર દેશભક્તિનો વિજય થવા દઈશ નહીં. ટાગોર ગાંધીજી માટે ખૂબ જ આદર ધરાવતા હતા, પરંતુ તેમણે રાષ્ટ્રવાદ, દેશભક્તિ, સાંસ્કૃતિક વિચારોની આપલે, તર્ક જેવા વિષયો પર તેમની પાસેથી અલગ અભિપ્રાય રાખ્યો હતો. ટાગોરે જ ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી હતી.

દરેક સાહિત્યમાં રચના

સાહિત્યનો ભાગ્યે જ કોઈ એવો પ્રકાર છે કે જેમાં તે રચિત ન હોય - ગીતો, કવિતા, નવલકથાઓ, વાર્તાઓ, નાટકો, સંચાલન, કારીગરી, તેની રચનાઓ તમામ શૈલીઓમાં વિશ્વ વિખ્યાત છે. તેમની રચનાઓમાં ગીતાંજલિ, ગીતાલી, ગીતીમાલય, કથા ઓ કહાની, શિશુ, શિશુ ભોલાનાથ, કનિકા, ટ્રાન્ઝિટના, ખેયા વગેરે મુખ્ય છે. તેમણે ઘણા પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું.

આ પણ વાંચો: National Handloom Day 2021: આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસની ઉજવણી

શાંતિનિકેતનની સ્થાપના

ગુરુદેવ 1901 માં શાંતિનિકેતનમાં આવ્યા. ટાગોરે શાંતિનિકેતનની સ્થાપના કરી. ટાગોરે અહીં વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કરી. રવીન્દ્રનાથ ટાગોરે લગભગ 2,230 ગીતોની રચના કરી હતી. રવીન્દ્ર સંગીત બંગાળી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ટાગોરનું સંગીત તેમના સાહિત્યથી અલગ કરી શકાતું નથી.

ABOUT THE AUTHOR

...view details