લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડે જનતાને દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી
હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળી પર લોકો એકબીજાને શુભકામના પાઠવતા હોય છે. ત્યારે પંચમહાલના લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડે દિવાળીના શુભ તહેવારો અને નૂતન વર્ષ નિમિત્તે પંચમહાલ વિસ્તારની તમામ જનતાને શુભેચ્છા પાઠવી હતી. તમામના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. કોરોના મહામારી વચ્ચે તહેવારની ઉજવણી થતી હોવાથી લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરી હતી.