ખોડલધામમાં નવરાત્રી ઉજવવા આવેલા કેજરીવાલ પર પાણીની બોટલનો ઘા

By

Published : Oct 2, 2022, 1:05 PM IST

Updated : Oct 2, 2022, 1:24 PM IST

thumbnail
()

રાજકોટ: દિલ્હીના મુખ્યપ્રધાન અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન રાજકોટની મુલાકાતે (Delhi cm in rajkot navratri festival) આવ્યા હતા. તેમણે નીલસિટી ક્લબ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યાં કેજરીવાલના આગમન વખતે ટીખળખોરે પાણીની બોટલ ફેંકી (Rajkot Kejriwal hit with a water bottle) હતી, પરંતુ તે કેજરીવાલની ઉપરથી પસાર થઈ ગઈ હતી. જેનો વીડિયો હાલ સામે આવી રહ્યો છે, જો આ બોટલ કેજરીવાલને માથામાં વાગી હોત તો જોવા જેવી થઈ હોત. જયારે છેલ્લી ઘડીએ કડવા પાટીદાર સમાજ આયોજિત ક્લબ રાસોત્સવમાં જવાનો પ્લાન તેમણે કેન્સલ કર્યો હતો.

Last Updated : Oct 2, 2022, 1:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.