ટેકાના ભાવે મગફળીનું વેચાણ કેટલાક ખેડૂતો માટે મુસિબત
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5443163-thumbnail-3x2-modasa.jpg)
મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ ઉત્સાહ દાખવ્યો હતો. જો કે, સરકાર સાથે વેપલો કરવો એ કેટલાક ખેડૂતો માટે મુશ્કેલીભર્યું સાબિત થઇ રહ્યું છે. ખેડૂતોની મગફળીમાંંથી થોડી માટી નીકળે તો તેને રદ્દ કરવામાં આવી રહી છે. નાફેડના કર્મચારી દ્વારા પરીક્ષણ કર્યા બાદ જો મગફળીમાંથી માટી મળી આવે તો તેને સાફ કરવાની રહે છે. જો કે, ખેડૂતોની મગફળીમાં સાવ સામાન્ય જેટલી માટી હોય તો પણ રિજેક્ટ કરાતા ખેડૂતો નિરાશ થયા છે. મહત્વનું છે કે, દસ જેટલા ટ્રેક્ટર રદ કરવામાં આવે છે અને ત્યારબાદ મગફળી માર્કેટયાર્ડની બહેનો સાફ કરવામાં આવે છે. માટી સફાઇ કરવાના ટ્રેક્ટર દીઠ 1500થી 2000 રુપિયા મહેનતાણુ લેવામાં આવે છે અને છેલ્લે ટ્રેક્ટરમાંથી ફક્ત 5થી 10 કિલો મગફળી માટીવાળી નીકળે છે, ત્યારે આ પ્રક્રિયા સામે ખેડૂતો નારાજગી વાજબી છે.