ભરૂચઃ દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદી કિનારે અસંખ્ય માછલીના મોત

By

Published : Jun 12, 2020, 5:19 PM IST

thumbnail

ભરૂચઃ દહેજના જાગેશ્વર નજીક નર્મદા નદી કિનારે અસંખ્ય માછલીના મોત નીપજ્યા છે. દહેજ અને વિલાયત GIDCનું પ્રદુષિત પાણી નદીમાં ભળતા જળચરોના મોત નીપજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે જિલ્લા માછીમાર સમાજના આગેવાન કમલેશ માછીએ જણાવ્યું હતું કે, દહેજ અને વિલાયત GIDCના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું જ નદીમાં છોડવામાં આવે છે. જે જળચરો માટે પ્રાણ ઘાતક પુરવાર થઇ રહ્યું છે અને માછલીના મોત નીપજી રહ્યા છે. આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે, બે જવાબદાર ઉદ્યોગો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.