યાત્રાધામ અંબાજીમાં આવેલા શિવમંદિરોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ

By

Published : Mar 11, 2021, 5:15 PM IST

thumbnail

બનાસકાંઠાઃ આજે ગુરૂવારે મહા શીવરાત્રી છે. યાત્રાધામ અંબાજીમાં 8 શિવાલયો આવેલા છે, આ તમામ મંદિરો આજે શિવ દર્શન માટે ખુલ્લા રહ્યા હતા. અંબાજીના શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભીડ ન થાય તે રીતે સોશિયલ ડીસ્ટન્સ સાથે સેનેટાઈઝ કરી માસ્ક સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈ આ વર્ષે પ્રસાદ પણ બંધ રખાયો છે. શિવાલયોમાં હોમયજ્ઞ, અન્નકૂટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન ભોળાનાથની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.