પોઇચામાં ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં નહાવા પડતા ડૂબ્યા,1 યુવાનને બચાવાયો - 8 tourists drowned in Narmada

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 3:04 PM IST

Updated : May 14, 2024, 3:22 PM IST

thumbnail
પોઇચામાં ફરવા આવેલ 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં નહાવા પડતા ડૂબી ગયા (etv bharat gujarat)

રાજપીપળા: અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા માટે  આવ્યા હતા. જ્યાં તેઓ પોઇચામાં નર્મદા નદીમાં એક પછી એક 8 લોકો નહાવા માટે પડ્યા હતા. જેમા તેમને ખ્યાલ ન રહ્યો કે, નદીમાં ઉંડાઇ વધારેે છે. નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબવા લાગ્યા હતા અને તેઓ બચાવોની બૂમો પાડતા સ્થાનિક નાવિકો તે ડૂબી રહેલા લોકોને બચાવવા માટે પાણીમાં કુદી પડ્યા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકોએ પાણીમાંથી ડૂબતા આબાદ બચાવી લીધો હતો.પણ હજુ 7 લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોચીને 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.

  1. અમદાવાદમાં SG હાઇવે પર ઇકો ગાડીએ સર્જયો ગંભીર અકસ્માત, એક વિદ્યાર્થીનું મોત - Ahmedabad Heat and Run
  2. અમદાવાદમાં AMTS બસનો વધુ એક અકસ્માત, સાતથી આઠ વાહનોને લીધા અડફેટમાં - AMTS bus accident
Last Updated : May 14, 2024, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.