Repeal Farm Law: વડાપ્રધાને કૃષિ કાયદા પરત ખેંચતા પાટણમાં કોંગ્રેસે ફટાકડા ફોડયા

By

Published : Nov 19, 2021, 11:07 PM IST

thumbnail

કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ ત્રણ નવા કૃષિ કાયદાઓ અમલી કર્યા હતા. જેને લઇ સમગ્ર દેશમાં ખેડૂતો અને વિવિધ રાજકીય સંગઠનોએ વિરોધ (farmer protest ) કર્યો હતો. છેલ્લા એક વર્ષથી આ કાયદાઓ પરત ખેંચવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના ખેડૂતોએ આંદોલન કર્યું હતું, ત્યારે શુક્રવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધતા આ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની (PM withdraws agricultural laws) જાહેરાત કરી હતી. આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરાશે જેને લઇને ખેડૂત આલમમાં ખુશીની લહેર ઊઠી છે, ત્યારે સમગ્ર દેશમાં આ બાબતે કોંગ્રેસ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જે અંતર્ગત પાટણના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વરસાદી માહોલમાં પણ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.