અંબાજીના માનસરોવર ખાતે ભૈરવજીની સાત્વીક ધાર્મિક ક્રિયા કરવામાં આવી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4880730-thumbnail-3x2-m.jpg)
માનસરોવર: દિવાળીના તહેવારોમાં સાધના અને ઉપાસક કરનારા લોકો માટે કાળીચૌદસનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે તાંત્રિક વિદ્યા કરનાર સાધકો સ્મશાન, હનુમાનજીના મંદિર અને ભેરવજીના મંદિરે સાધના કરતાં હોય છે. જેમાં સાત્વીક, રજસ અને તામસ જેવી ક્રિયાઓ કરવામાં આવે છે. ગુરૂવાર રાતે અંબાજીના માનસરોવરમાં સ્થિત ભૈરવજીનાં મંદિરે સાધકો દ્વારા સાત્વીક ધાર્મિક ક્રિયા કરવામાં આવી હતી.