સંભવિત વાવાઝોડાને લઈને અમરેલીના 23 ગામોમાં એલર્ટઃ કલેક્ટર
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7434898-497-7434898-1591018258649.jpg)
અમરેલીઃ સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ NDRFની એક ટીમ પણ મોડી રાત સુધીમાં જાફરાબાદ તૈનાત કરવામાં આવશે. 3 જુને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે, ત્યારે રાજુલા-જાફરાબાદ વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારના સરકારી કર્મચારીઓને હાજર રહેવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.