Somnath Mahadev Temple : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 1:15 PM IST

thumbnail

ગીર સોમનાથ : આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે શ્રાવણ મહિનો અને તેમાં પણ સોમનાથ મહાદેવને અતિપ્રિય અંતિમ સોમવાર છે. ત્યારે સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર શિવમય બનેલું જોવા મળતું હતું.

શિવભક્તોનું ઘોડાપૂર : જેમ જેમ શ્રાવણ મહિનો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ સોમનાથ મહાદેવ ખાતે ભક્તોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. આજે સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે તલપાપડ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. આજે શ્રાવણ મહિનાના સોમવારે શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી.

  1. Somnath Mahadev Temple: સોમનાથ મહાદેવને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો કરાયો શણગાર
  2. Somnath Mahadev Temple: જન્માષ્ટમીના પર્વે સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શણગાર કરાયો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.