Somnath Mahadev Temple: સોમનાથ મહાદેવને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો કરાયો શણગાર

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 8:11 AM IST

thumbnail

સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવને રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનો શણગાર કરાયો હતો. જેના દર્શન કરીને શિવ ભક્તો ભારે ધન્ય બન્યા હતા. દેવાધિદેવ સોમેશ્વર મહાદેવના શિવલિંગ પર ચંદનનો ઉપયોગ કરીને મહાદેવના રુદ્ર અવતાર સમાન હનુમાનજી મહારાજની મુખાકૃતિ મંદિરના પંડિતો અને પૂજારીઓ દ્વારા ઉપસાવવામાં આવી હતી. સાથે સાથે 100 કિલો કરતાં વધુ વિવિધ પુષ્પોનો ઉપયોગ કરીને પણ સોમનાથ મહાદેવના શિવલિંગને શણગારવામાં આવ્યું હતું. શનિવારનો દિવસ હોવાને કારણે પણ હનુમાનજી મહારાજના શણગારના દર્શન કરીને પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તોએ પોતાની જાતને ધન્ય કરી હતી.

  1. Somnath Mahadev Temple: જન્માષ્ટમીના પર્વે સોમનાથ મહાદેવને કૃષ્ણ દર્શન શણગાર કરાયો
  2. Janmashtami 2023: શ્રીકૃષ્ણની દેહોત્સર્ગ ભૂમિ ભાલકા તીર્થમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી શરૂ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.